મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા
મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા
SHARE
મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા
મોરબી મનપાની ગાર્ડન શાખા દ્વારા બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે તેવામાં મોરબીના સૂરજબાગ અને અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ જોવા મળતા કુલ મળીને 5 વૃક્ષને દૂર કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, કોનાકાર્પસ વૃક્ષ નાગરિકોની સુરક્ષા માટે હાનિકારક હોવાનું નોંધાયું છે, અને કોનાકાર્પસ વૃક્ષોની જડ પ્રણાલી ઝડપી અને વિસ્તૃત રીતે ફેલાતી હોવાથી રોડ, ફૂટપાથ અને પેવર બ્લોકને નુકસાન થવાની શક્યતા રહે છે, તેમજ અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને ગટર વ્યવસ્થાને અસર પહોંચે છે. જેથી મનપાની ગાર્ડનશાખાએ જોખમકારક કોનાકાર્પસ વૃક્ષને દૂર કર્યા છે.