મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા


SHARE













મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા

મોરબીમાં આવેલા જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી મનપાની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. છતાં નોટિસની અવગણ કરીને કોઈ કાર્યવાહી આસામી દ્વારા કરવામાં આવેલ નથી જેથી કરીને જર્જરિત બાંધકામના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી બિલ્ડીંગ શાખાએ કરી છે. અને અંદાજે 90  જર્જરિત મકનોના પાણી તથા ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવ્યા અને હવે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવેલ છે.

મોરબી મનપાની આ કાર્યવાહીના પરિણામે મિલકત માલિકો દ્વારા કાયદાનું ચુસ્ત પણે પાલન કરીને અંદાજે 80 જેટલી જોખમી મિલકતોને આસામીઓ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે. અને મનપાની ટિમ દ્વારા બાકી રહેલ જર્જરિત મિલકતો અંગે પણ નિયમસર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, તમામ મિલકત માલિકોએ મનપાની નોટિસનું તાત્કાલિક પાલન કરી સહકાર આપવો જરૂરી છે અને મોરબીમાં કોઈપણ જોખમી ઇમારતનો લોકોએ ઉપયોગ કરવો નહીં અને મનપામાંથી જરૂરી મંજૂરી લઇ તેને તોડી પાડવાની કાર્યવાહી કરવા માટે મનપાના અધિકારી જણાવ્યુ છે.






Latest News