મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

હળવદમાં ધમધમતા નોનવેજના હાટડા બંધ કરાવવાની પ્રબળ માંગ સાથે મામલતદાર- પોલીસને આવેદનપત્ર પાઠવ્યુ: જનતા રેડની ચીમકી


SHARE













હળવદમાં નોનવેજના હાટડા શરૂ થયા છે તેને છેલ્લા ઘણા સમયથી બંધ કરાવવાની માંગ ઉઠી રહી છે. તેવામાં આજે હળવદમાં વિશાળ મૌન રેલી યોજીને મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને નોનવેજના હાટડા બંધ કરાવવાની માંગ કરી છે.

હળવદ લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાઈક રેલી નોનવેજના હાટડા બંધ કરોની માંગ સાથે યોજાઈ હતી. આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો બાઈક સાથે જોડાયા હતા. અને મામલતદાર કચેરી પહોંચીને હળવદમાં ચાલતા નોનવેજના હાટડા સદંતર બંધ કરાવવાની ઉગ્ર માંગ કરાઈ હતી. આ મૌન રેલીમાં લોકો ‘હળવદમાં ચાલતા નોનવેજના હાટડા બંધ કરો’ અને ‘છોટા કાશી હળવદની પરંપરાને જાળવી રાખો’ના બેનર સાથે જોડાયા હતા. 

આજે લોકએ હળવદ પોલીસ સ્ટેશનમાં પણ આવેદનપત્ર આપ્યુ હતું. આ આવેદનમાં જણાવાયું છે કે, હળવદ શહેરમાં અત્યાર સુધી જાહેર સ્થળે માંસ-મટનની લારી અથવા જાહેર સ્થળે માંસાહારનું વેચાણ થતું નથી. ત્યારે છેલ્લા થોડાક વર્ષોથી હળવદના અનેક વિસ્તારોમાં કોઇ પણ મંજૂરી વિના સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ કરી માંસાહારનું વેચાણ થઈ રહ્યું છે.

જો ગેરકાયદેસર ધમધમતા માંસાહારના હાટડા આગામી 48 કલાકમાં બંધ કરાવવા આવા તત્વો સામે કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો 48 કલાક પછી હળવદના જીવદયા પ્રેમીઓ અને સામાજિક સંગઠનો દ્વારા જનતા રેડ કરી ગેરકાયદેસર ધમધમતા નોનવેજના હાટડાઓ બંધ કરાવવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારી છે આજે યોજાયેલ રેલીમાં હિન્દુ સંગઠનોના આગેવાનો, હોદ્દેદારો તેમજ સ્વામી નારાયણ મંદિરના સ્વામી સહિતના લોકો મોચી સંખ્યામાં હાજર રહ્યા હતા






Latest News