મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા
SHARE
મોરબીના જુદાજુદા પ્રશ્નોને લઈને આપના આગેવાનોએ અધિકારી સાથે કરી ચર્ચા
મોરબીવાસીઓના જુદાજુદા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી હતી ત્યારે અધિકારી તવરીત પગલા લેવાશે તેવી બાહેધારી આપી હતી. જો કે, કાર્યવાહી નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા લોકોને હિતને ધ્યાને રાખીને રજૂઆતો કરવામાં આવશે અને જરૂર પડે તો આંદોલન પણ કરશે.
મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા ભાવિન પટેલ (એડવોકેટ), મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ તથા મોરબી જીલ્લા ઉપપ્રમુખ જસમતભાઈ કગથરાએ મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરને મળી લેખીત તથા મૌખીક નાગરીકોને પડી રહેલ મુશકેલીઓની ચર્ચા કરી હતી જેમાં મોરબી ની સરદાર બાગ સામે પાણીની ગંદગીમા ભરવામા આવતી શાક માર્કેટની વ્યવસ્થા કરવી, મોરબીના રાજ માર્ગ પર જે પણ રખડતા ઢોરનો ત્રાંસ છે તે દુર કરવો, રસ્તાઓમા પડેલ ખાડાઓ બુરવા, જુદાજુદા વિસ્તારમાંથી કચરાના ઢગલા દુર કરવા, વરસાદી પાણીનો નિકાલ કરવો, દવાનો છંટકાવ કરવો વિગેરે પ્રશ્નોની ચર્ચા કરી હતી. ત્યારે ચીફ ઓફિસરે તવરીત પગલા લેવાશે તેવી બાહેધારી આપી હતી.