મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમીનાર યોજાયો


SHARE







ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સેમીનાર યોજાયો

મોરબી જિલ્લાના ડીડીઓ જે.એસ.પ્રજાપતિની સૂચના મુજબ ડીપીઇઓ નમ્રતાબેનના માર્ગદર્શન હેઠળ ઓરપેટ કન્યા વિદ્યાલય ટંકારા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેમાં જેમાં N.M.M.S અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં ટોપર આવેલ અલગ અલગ શાળાના કુલ 57 વિદ્યાર્થીઓએ તેઓના વાલીઓ સાથે ભાગ લીધો હતો. જેમાં NTSE,પ્રતિભા/પ્રખરતા શોધ પરીક્ષા, IIT ENTRANCE EXAM, તથા તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ બાબતે અનુક્રમે NMMSની પરીક્ષા વિશે શૈલેષભાઈ સાણજા, NTSE પરીક્ષાનું માર્ગદર્શન ભાવેશભાઈ સંઘાણી, પ્રખરતા શોધ કસોટી અને સામાન્ય પ્રવાહ અલ્પેશભાઈ પૂજારા, જ્ઞાન સાધના અને વિજ્ઞાન પ્રવાહ  ચેતનભાઈ ભાગિયાએ PPT સાથે સમજ આપી હતી. અંતમાં દિપેશભાઈ જોશીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા તથા બી.આર.સી કોર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઢેઢી કૌશિકભાઈ અને ભાવેશભાઇ દેત્રોજાએ હતું






Latest News