મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે મચ્છુ-૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE













મોરબીના ધરમપુર ગામે મચ્છુ-૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ વિસ્તારમાં રહેતો યુવાન મોરબીના ધરમપુર ગામ પાસે આવેલ જૂની આરટીઓ કચેરી નજીક ગણેશ વિસર્જન માટેની નિયત જગ્યા ખાતે કોઈ કારણોસર ડેમમાં ડૂબી ગયો હતો.જેથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલ બનાવના કારણ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ ઉપર સત્કાર પાર્ટી પ્લોટની સામે આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતો આનંદ નરભેરામભાઈ આદ્રોજા નામનો 34 વર્ષનો યુવાન ઘરેથી કંઈ કહ્યા વગર નીકળ્યો હતો અને બાદમાં તે યુવાનનો મૃતદેહ મોરબીના બાયપાસ ઉપર ધરમપુર ગામની સીમમાં જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ નદીમાંથી મળી આવ્યો હતો.મચ્છુ નદીમાં જ્યાં ગણેશ વિસર્જન માટે જગ્યા નકકી કરવામાં આવે છે તે જગ્યા નજીકથી આનંદ નરભેરામભાઇ આદ્રોજા નામના યુવાનનો નદીમાંથી મૃતદેહ મળી આવતા બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડાયો હતો.હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ બનાવ આપઘાતનો છેકે અકસ્માતનો..? તે બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા મહેન્દ્રભાઈ દેવજીભાઈ ચૌહાણ નામના 27 વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધુ હતુ.જેથી અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ મોરબી તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કયા કારણોસર આ બનાવ બન્યો છે..? તે બાબતે બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી નજીક વેગા સિરામીકના લેબર ક્વાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યાસીનભાઈ જબ્બરભાઈ શેખ નામના 30 વર્ષના યુવાનને મોરબીના જેતપર રોડ પાવળિયારી નજીક આવેલ ફીનોલાઈટ સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News