મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીના ધરમપુર ગામે મચ્છુ-૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત


SHARE











મોરબીના ધરમપુર ગામે મચ્છુ-૩ ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ વિસ્તારમાં રહેતો યુવાન મોરબીના ધરમપુર ગામ પાસે આવેલ જૂની આરટીઓ કચેરી નજીક ગણેશ વિસર્જન માટેની નિયત જગ્યા ખાતે કોઈ કારણોસર ડેમમાં ડૂબી ગયો હતો.જેથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને હાલ બનાવના કારણ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ ઉપર સત્કાર પાર્ટી પ્લોટની સામે આવેલ અંજલી એપાર્ટમેન્ટમાં રહેતો આનંદ નરભેરામભાઈ આદ્રોજા નામનો 34 વર્ષનો યુવાન ઘરેથી કંઈ કહ્યા વગર નીકળ્યો હતો અને બાદમાં તે યુવાનનો મૃતદેહ મોરબીના બાયપાસ ઉપર ધરમપુર ગામની સીમમાં જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ નદીમાંથી મળી આવ્યો હતો.મચ્છુ નદીમાં જ્યાં ગણેશ વિસર્જન માટે જગ્યા નકકી કરવામાં આવે છે તે જગ્યા નજીકથી આનંદ નરભેરામભાઇ આદ્રોજા નામના યુવાનનો નદીમાંથી મૃતદેહ મળી આવતા બનાવની તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે ખસેડાયો હતો.હાલમાં તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ બનાવ આપઘાતનો છેકે અકસ્માતનો..? તે બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

એસિડ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા મહેન્દ્રભાઈ દેવજીભાઈ ચૌહાણ નામના 27 વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધુ હતુ.જેથી અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ મોરબી તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે કયા કારણોસર આ બનાવ બન્યો છે..? તે બાબતે બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી નજીક વેગા સિરામીકના લેબર ક્વાટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા યાસીનભાઈ જબ્બરભાઈ શેખ નામના 30 વર્ષના યુવાનને મોરબીના જેતપર રોડ પાવળિયારી નજીક આવેલ ફીનોલાઈટ સીરામીક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News