મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો


SHARE







મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

ટંકારા મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિમાં શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતી જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિદ્યાભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ અપૂર્વભાઈ મણિયાર, જયંતિભાઈ રાજકોટિયા, ભવાનભાઈ ભાગીયા, જગદીશભાઈ પનારા, જગદીશભાઈ કણસાગરા વગેરે હાજર રહ્યા હતા આ તકે મોરબી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારે કહ્યું કે મહર્ષિ દયાનંદની આ જન્મભૂમિ ઘણા વર્ષોથી આવા દિવ્યકાર્યની રાહ જોતી હતી. જે આજે શરૂ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વભાઈ મણિયારે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આજે રોપાયેલું બીજ ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બની ફળ-ફૂલ અને છાંયડો આપશે. ૧૯૫૨માં ગોરખપૂરમાં પ્રથમ શિશુમંદિરથી શરૂ થયેલું આ કાર્ય આજે પૂરા દેશમાં ફેલાયેલું છે. અને રાષ્ટ્રપ્રત્યેનું ઋણ ચૂકવે તેવા વિદ્યાર્થીઓ નિર્માણ કરીને ભારતને વિશ્વગુરુ બનાવવો તે શિશુમંદિરનો ઉદેશ છે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈએ શિશુમંદિરોને તન-મન-ધનથી સહયોગ આપવાની ખાતરી આપી હતી.






Latest News