હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી મોરબીમાં જુગારની બે રેડ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 7 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીનાં રાજકીય અગ્રણીએ રાજકોટ-દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા કરી રજૂઆત


SHARE











મોરબીનાં રાજકીય અગ્રણીએ રાજકોટ-દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા કરી રજૂઆત

મોરબી લોહાણા સમાજના યુવા અગ્રણી તેમજ જિલ્લા બિલ્ડર એસોસિયેશનનાં ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના કારોબારી સભ્ય રૂચિરભાઈ કારીયા દ્વારા તા.૪-૭-૨૦૨૪ નાં રોજ ઇમેઇલ તેમજ ફોન દ્વારા સૌરાષ્ટ્રનાં તમામ સાંસદો અને ઉડ્યન મંત્રી કિંજરપુ રામમોહન નાયડુને રજૂઆત કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રભરમાંથી ઘણા હિન્દુ લોકો ધર્મયાત્રા માટે હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા અર્થે જતા હોય છે ત્યારે હરીદ્વારનુ નજીક દેહરાદૂન એરપોર્ટ આવેલ છે ત્યાં માટે જવા માટે અમદાવાદ ફરજિયાત જવું પડતું હોય છે અને યાત્રાળુઓને મુશ્કેલી પડતી હોય છે જો રાજકોટથી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તો ઘણા હિન્દુ યાત્રાળુઓને યાત્રાનો સમય ઘટી જાય તેમ છે અને આ રજૂઆતને ધ્યાને લઈ ભારત સરકારનાં પૂર્વ મંત્રી અને હાલ રાજકોટનાં સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ ઉડ્યન મંત્રી પાસે રાજકોટ - દેહરાદૂન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની માંગણી કરવામાં આવી છે.






Latest News