મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

 મોરબીમાં સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઇ: 300 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર


SHARE







 મોરબીમાં સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઇ: 300 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતના દરેક જિલ્લા અને સમગ્ર દેશની અંદર આજે સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે અને હર ઘર તિરંગાના સૂત્ર સાથે લોકો આમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આજે મોરબી શહેરમાં તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા. કે.એસ.અમૃતીયા અને નરેન્દ્રસિંહ ઝાલા તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લાના અધિક કલેકટર એસ.જે. ખાચર તેમજ મોરબી જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મોરબીના પોલીસ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાંથી મોરબીના જેલ રોડ, શાકમાર્કેટ ચોક, ગાંધી ચોક, રવાપર રોડ, બાપાસીતારામ ચોક અને ત્યાંથી સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી અને ખાસ કરીને આ તિરંગા યાત્રામાં 300 ફૂટ લાંબો તિરંગો લઈને પોલીસ જવાનો નીકળ્યા હતા જે મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું






Latest News