મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ. પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયુ છે તેનો તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે તેઓને વળતર આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને સર્વેમાં વિલંબ થાય તેવી શક્યતા છે જેથી કરીને ઝડપથી સર્વે કરીને ખેડૂતને જે બે હેકટરની નુકસાનની મર્યાદામાં વળતર આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અંતમાં આપના આગેવાનોએ કહ્યું હતુ કે, આ સરકારમાં ખેડૂતો સાથે અન્યાય થતો આવ્યો છે ત્યારે ખેડૂતોને આ વખતે ન્યાય આપવામાં આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News