મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ


SHARE











મોરબી જીલ્લામાં ખેડૂતોને થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરીને પૂરતું વળતર આપવા આપની માંગ

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ. પ્રભારી પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો દ્વારા જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયુ છે તેનો તાત્કાલિક સર્વે કરીને વહેલી તકે તેઓને વળતર આપવામાં આવે તેવી આવેદનપત્ર આપીને કલેક્ટર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આગેવાને જણાવ્યુ હતું કે, અત્યારે એક ગ્રામસેવક અથવા તલાટીને એકથી વધારે ગામની સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને સર્વેમાં વિલંબ થાય તેવી શક્યતા છે જેથી કરીને ઝડપથી સર્વે કરીને ખેડૂતને જે બે હેકટરની નુકસાનની મર્યાદામાં વળતર આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અંતમાં આપના આગેવાનોએ કહ્યું હતુ કે, આ સરકારમાં ખેડૂતો સાથે અન્યાય થતો આવ્યો છે ત્યારે ખેડૂતોને આ વખતે ન્યાય આપવામાં આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News