ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ


SHARE













ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચે હાલમાં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ ખોટી હોવાનું કહીને તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના લોકો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છેકે, ઓટાળાના અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે જેને લઈને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું કહીને તેની તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જયારે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં હાજર રહ્યા હતા.






Latest News