મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ


SHARE











ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચે હાલમાં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ ખોટી હોવાનું કહીને તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના લોકો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છેકે, ઓટાળાના અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે જેને લઈને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું કહીને તેની તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જયારે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં હાજર રહ્યા હતા.






Latest News