મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ


SHARE













ટંકારાના ઓટાળા ગામે સરપંચે કરેલ એટ્રોસીટીની ફરિયાદમાં તટસ્થ તપાસની ગ્રામજનોની માંગ

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચે હાલમાં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ ખોટી હોવાનું કહીને તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવાની માંગ કરી છે.

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના લોકો કલેક્ટર કચેરીએ આવ્યા હતા અને ત્યાં આવેદન પત્ર આપ્યું હતું જેમાં જણાવ્યુ છેકે, ઓટાળાના અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે જેને લઈને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલ એટ્રોસિટીની ફરિયાદ ખોટી હોવાનું કહીને તેની તટસ્થ તપાસ કરીને બી સમરી ભરવામાં આવે તેવી માંગ કરી છે અને જયારે કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ત્યાં હાજર રહ્યા હતા.




Latest News