હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં ફાયર NOC ન ધરાવતા બિલ્ડીંગ માલિકોને ફાયરની ટીમે ફટકારી નોટિસ માળીયા (મી) દેવ સોલ્ટ ફાઉન્ડેશન દ્વારા શાળા પ્રવેશોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું માળીયા (મી)ના ચમનપર ગામે ડૉ. પ્રશાંત મેરજા સ્મૃતિ ગેટનું સાદગીપૂર્ણ લોકાર્પણ મોરબી મહાનગરપાલિકા  દ્રારા મંત્રી અને મેયરની હાજરીમાં જન કલ્યાણ શિબિર કાર્યક્રમ યોજાયો મોરબી ABVP દ્વારા મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઊજવણી કરાઇ
Breaking news
Morbi Today

ટંકારા: પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન


SHARE











ટંકારા: પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

5 સપ્ટેમ્બર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ તકે મોરબી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં પીએમ શ્રી સજનપર પ્રા. શાળામાં ફરજ બજાવતા અને હાલમાં જ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થયેલ દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને ટંકારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ટંકારા તાલુકાના તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, સીઆરસી શૈલેષભાઇ સાણજા તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તે ઉપરાંત શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તેમજ તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભારતીબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






Latest News