ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ટંકારા: પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન


SHARE











ટંકારા: પીએમ શ્રી સજનપર પ્રાથમિક શાળાના શિક્ષિકાનું તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

5 સપ્ટેમ્બર આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ તકે મોરબી વી.સી.ટેક.હાઈસ્કૂલ ખાતે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં પીએમ શ્રી સજનપર પ્રા. શાળામાં ફરજ બજાવતા અને હાલમાં જ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ થયેલ દેત્રોજા ભારતીબેન પંચાણભાઈ ને ટંકારા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે કાર્યક્રમમા ઉપસ્થિત ધારાસભ્યઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી તેમજ ટંકારા તાલુકાના તાલુકા પ્રા.શિક્ષણાધિકારી જીવણભાઈ જારીયા, બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, વિરમભાઈ દેસાઈ, સીઆરસી શૈલેષભાઇ સાણજા તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.તે ઉપરાંત શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા તેમજ તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભારતીબેનને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.






Latest News