મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ
SHARE
મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ
મોરબીથી અંબાજી સુધીની પદયાત્રાનું છેલ્લા 26 વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઈ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરા છે. તેઓ દ્વારા દરેક પદયાત્રિકો માટે રહેવા અને જમવા તથા મેડિકલ સહિતની તમામ સુવિધા કરવામાં આવે છે આ પદયાત્રાના સેવગણ તરીકે ધનજીભાઈ કાવર, સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઈ નાગપરા, યોગેશભાઈ ઠોરીયા સહિતનાઓનો સમાવેશ થાય છે અને જય અંબે પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબિકા પદયાત્રા સંઘ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી છે અને તા 16 સપ્ટેમ્બરના રોજ આ પદયાત્રા અંબાજી મંદિરે પહોંચશે. ત્યાર બાદ ત્યાં અંબાજી માતાજીનાં દર્શન કરીને બાવન ગજની ધજા ચડાવશે.