હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીને અમદાવાદ-મુંબઈની રેલ્વે સુવિધા બાબતે સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત


SHARE











મોરબીને અમદાવાદ-મુંબઈની રેલ્વે સુવિધા બાબતે સાંસદ વિનોદ ચાવડાને રજૂઆત

મોરબીની અંદર સીરામીક, પેપર ઇન્ડસ્ટ્રીઝ, સનમાઈકા ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ધંધા રોજગાર હોવાના લીધે સમગ્ર ભારત દેશના જુદા જુદા રાજ્યોમાંથી મોરબી ખાતે મજૂરો આવતા હોય છે પરંતુ અહીંથી તેઓને વતનમાં આવવા જવા માટે પૂરતી રેલ સુવિધા નથી તે ઉપરાંત મોરબીથી સીધી અમદાવાદ કે મોરબીથી સીધી મુંબઈ જેવી ટ્રેનનો પણ મોરબીવાસીઓ માટેઉપલબ્ધ નથી માટે અહીંના જાગૃત નાગરિક દ્વારા સાંસદને પત્ર લખીને મોરબીથી ડાયરેક્ટ અમદાવાદ અને સીધી મુંબઈની રેલ સુવિધાઓ મળે તે માટે માંગ કરવામાં આવેલ છે.

 
મોરબી આજે ધણા સમયથી જીલ્લો બની ગયેલ છે.પરંતુ મોરબીની પ્રજાને રેલ્વેની સુવિધાને નામે મીડું છે આજે મોરબી અનેક ઉધોગોથી સંકળાયેલ છે અને રેલ્વેને માલગાડી મારફત કરોડો રૂપીયાની કામણી કરી આપે છે.છતા મોરબીવાસીઓ વર્ષોથી સારી રેલ્વે સુવિધાથી વંચિત છે.મોરબીની પ્રજાએ આપને ત્રીજી વખત ચુંટીને દિલ્હી મોકલેલ છે.છતા રેલ્વેના પ્રશ્નો હલ થતા નથી તે ધણી જ દુખદ બીના છે તેમ સાંસદ વિનોદભાઇ ચાવડાને જણાવીને વધુમાં જાગૃત નાગરીક અને એસટી વિભાગના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ જણાવ્યું છેકે આ બાબતોને લઇને પ્રજાને સરકાર ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે.
 
મોરબીને રેલ્વે સુવિધા આપવી તેમા કોઈ જાતનો ખર્ચ પણ નથી કારણ કે ભુજથી અમદાવાદ મુંબઈ રેલ્વે ટ્રેન જે હળવદ થઈને જાય છે તેમાથી ચાર પાંચ ટ્રેનો વાયા મોરબી કરવામાં આવે તો તે ઘણુ જ સરળ છે.એક પૈસાનો ખર્ચ પણ નથી.વાત કરીએ હળવદ જેવા નાના શહેરની જો દિવસમા બાર ગાડીની સુવિધા મળતી હોય અને મોરબી જીલ્લો હોય તેમજ અહીથી અસંખ્ય બહારના મજુરો વેપારીઓ આ રેલ્વે સુવિધાનો લાભ લઈ શકે અને રેલ્વેને આવક થાય તેમ છે.મોરબી જીલ્લાનું મતદાનની તપાસ કરશોતો લોકોએ આપને ખોબલે ખોબલે મત આપેલ છે તો આ બાબતે આપ અંગત રસ લઈને મો૨બીને રેલ્વે સુવિધા મળે તેવા પ્રયત્નો કરો તેવી મોરબીની જનતાવતી મારી અપીલ છે તેમ પી.પી.જોષીએ અખબારી યાદી વડે જણાવેલ છે.





Latest News