મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ


SHARE











મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ

મોરબી શહેરી વિસ્તારમાં આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આવતીકાલે શિવરાત્રીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મોરબી શહેરી વિસ્તારની અંદર આવેલા તમામ પ્રકારના કતલખનાને બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. તેમજ મોરબી શહેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ શિવરાત્રીના દિવસે માસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે તેને સંબંધિત વિભાગના અધિકારીને જાણ પણ કરવામાં આવી છે અને જાહેરનામનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 અને 336 હેઠળની કાર્યવાહી થશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યુ છે.






Latest News