વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત
મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
SHARE
મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
મોરબી શહેરી વિસ્તારમાં આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આવતીકાલે શિવરાત્રીને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મોરબી શહેરી વિસ્તારની અંદર આવેલા તમામ પ્રકારના કતલખનાને બંધ રાખવા માટેનો આદેશ કર્યો છે. તેમજ મોરબી શહેર વિસ્તારમાં કોઈપણ જગ્યાએ શિવરાત્રીના દિવસે માસ, મટન, ચિકન અને મચ્છીનું વેચાણ ન કરવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આ જાહેરનામાની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે તેને સંબંધિત વિભાગના અધિકારીને જાણ પણ કરવામાં આવી છે અને જાહેરનામનો ભંગ કરનાર સામે જીપીએમસી એક્ટ 1949 ની કલમ 329 અને 336 હેઠળની કાર્યવાહી થશે તેવું મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યુ છે.









