મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ


SHARE













મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ

મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન જ્યાં જ્ઞાન બને શક્તિ, સંસ્કાર બને ઓળખ અને સિદ્ધિ બને ગૌરવ આ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના પથ પર આગળ વધી રહ્યું છે અને સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે. તેવામાં વેલેન્ટાઈન ડે ના દિવસે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો તે સહિતના કાર્યક્રમ યોજાયા હતા.

માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ

નવયુગ સંકુલ તથા નવયુગ વિદ્યાલયમાં માતા-પિતા પૂજન દિવસ નિમિત્તે ભાવસભર કાર્યક્રમ યોજાયો.જેમાં નવયુગ સંકુલ પર પ્રખ્યાત લોક સાહિત્યકાર રાજુભાઈ આહીર એ માતા પિતા  વિદ્યાર્થીઓએ માતા-પિતાના આશીર્વાદ અને જીવનમાં મહત્વ વિશે વિધાર્થીઓને સાહિત્ય પીરસી કાર્યક્રમ માં રોનક લાવી હતી તેમજ નવયુગ વિધાલય અને સંકુલ માં માતા-પિતા ની ઉપસ્થિતિમાં તેમના ચરણોમાં વંદન કરી તેમની પૂજા કરી ભારતીય સંસ્કારની ઉજ્જવળ પરંપરાને જીવંત રાખી હતી.જયારે બી.એસ.સી કોલેજમાં ફુડ ફિસ્ટ અને વ્યસન મુક્તિ સંદેશ નવયુગ બી.એસ.સી. કોલેજમાં ફૂડ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને સંચાલન કુશળતા દર્શાવી હતી. સાથે સાથે વ્યસન મુક્તિ કાર્યક્રમ દ્વારા યુવાનોને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ આપવામાં આવ્યો.

નવયુગ પ્રેપ સેક્શનમાં ૧૦૮ શિવલિંગ પૂજા અને મંદિર દર્શન યોજાયેલ

પ્રેપ વિભાગના નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૮ શિવલિંગ પૂજાનું આયોજન કરી ભક્તિ અને આધ્યાત્મિકતાનો સંદેશ આપવામાં આવ્યો. શિવ મંદિરમાં દર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન કરવામાં આવ્યું હતુ. આ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા, મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસવાડિયા તેમજ વિભાગીય વડાઓએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ તેમજ આ તમામ કાર્યક્રમ માટે  શિક્ષકમિત્રોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન હંમેશા જ્ઞાન સાથે સંસ્કાર અને સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપે છે અને ભવિષ્યમાં પણ સંસ્થા નવી સિદ્ધિઓ સર કરી સમગ્ર ગુજરાતમાં ગૌરવ વધારતી રહેશે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં નવયુગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એક પાત્રિય અભિનયમાં શેરસિયા રૂહી કૌશિકભાઈએ સમગ્ર ગુજરાતમાં રેન્ક– 3 પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું તેમજ અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી નવયુગ પરિવારનું નામ રાજ્યભર માં રોશન કર્યું હતું.






Latest News