મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ: રાજપૂત કરણી સેના


SHARE







મોરબીમાં રોડ રસ્તા નહીં બનાવવામાં આવે તો ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ: રાજપૂત કરણી સેના

મોરબીમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે ત્યારે મોરબીના લીલપર ગામ બાજુ જવાનો રસ્તો ભંગાર છે જેથી કરીને મોરબી તાલુકા રાજપૂત કરણી સેનાના તાલુકા પ્રમુખ મોરબીમાં રોડ નહીં બનાવવામાં આવે તો ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજપૂત કરણી સેના મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, મોરબીના જેલ ચોક થી લિલાપર ચોકડી સુધી નો રસ્તો કમર તોડી નાખે તેવો અને જીવલેણ સાબિત થાય તેવો છે તેમ છતાં પણ તેને રીપેર પણ કરવામાં આવતો નથી અને થોડા દિવસ પહેલા જ લિલાપર રોડ ઉપર એક પુલિયું ધરાશાઈ  થઈ ગયું છે જેથી લોકોને હાલમાં હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે કેટલા સમય સુધી લોકોને હેરાન થવું પડશે તે સવાલ ઉઠી રહ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જો કોઈ પ્રેગનેટ બહેનને ત્યાં થી હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવો રસ્તો છે અને લોકોને જો ત્યાંથી રોજ પસાર થવાનું રહેતું હોઈ તો થોડા દિવસોમાં કમરનો દુખાવો પણ થઈ જાય એવી બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે. ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત વર્ગના છે એટલે એમના સાથે આવો ભેદભાવ રાખવામા આવે છે તેવો પણ કટાક્ષ કરેલ છે. ત્યારે હવે જો રોડની સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો બધા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરશે અને ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News