મોરબીના શૈક્ષણિક સંકુલોમાં પ્લાસ્ટિક ડોમ ક્યારે દૂર કરાશે..? : શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ વડાપ્રધાન મોદીજીના જન્મદિન નિમિતે હોટલ વિરામ મધ્યે ૨૫ દિવ્યાંગોને ઇલેક્ટ્રીક પાવર વ્હીલચેર તથા ઓલમ્પિક ખેલાડીને આર્ટિફિશીયલ પગ વિતરણ કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબી : ઢુંવા ચોકડી મહાનદીમાં પુલ પાસે ડૂબી જતા એકનું મોત મોરબીમાં ડ્રાઈવર દિવસ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન મોરબી પાલીકા, આઇએમએ, ઈન્ડિયન લાયન્સ ક્લબ અને રોટરી ક્લબના દ્વારા ધારાસભ્યની હાજરીમા સફાઈ અભિયાન ગુજરાતમાં વીજ લાઇન પાથરતી કંપનીઓ તરફથી ખેડુતોને પુરતુ વળતર ન મળે તો રાજ્ય વ્યાપી આંદોલનની ખેડુતોની ચીમકી મોરબી IMA ના પ્રમુખ પદે ડો.અંજનાબહેન ગઢીયા, સેક્રેટરી પદે ડો. હીનાબહેન મોરીની નિમણુક મોરબી : નવયુગ બી.એડ્. કૉલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે  ફ્રેશર પાર્ટીનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી


SHARE











વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી

વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને આ યુવાનની હત્યા કરીને ત્યાં પાણીમાં લાશને ફેંકી દેવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે ગાળો આપવાની બાબતમાં મૃતક યુવાનની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરધારકા ગામના સરપંચ મહેન્દ્રસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં કોઈ યુવાનની લાશ પડી છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાં પડેલ યુવાનની લાશને બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભરગા અને તેઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતક યુવાનની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવેલ છે

આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભરગા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મૃતક વ્યક્તિ વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં રહેતો રાજુભાઈ મોતીભાઈ (35) હોવાનું સામે આવ્યું છે અને તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી છે કે વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક મૃતક રાજુભાઈ મોતીભાઈ અને તેનો મિત્ર જીતુ રબારી બંને બેઠા હતા ત્યારે મૃતક યુવાન ગાળો દેતો હોય તે બાબતે જીતુભાઈ રબારીએ તેને માથાના ભાગે કાડુ માર્યું હતું અને ત્યારબાદ પથ્થરનો ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આરોપી જીતુ રબારીએ તેના મિત્ર ભાવેશને સાથે રાખીને મૃતક રાજુભાઈ મોતીભાઈને બાઈક ઉપર ત્યાંથી બેસાડીને તેના બોડીને સરધારકા ગામ પાસે આવેલ ચેકડેમમાં ફેંકી દીધું હતું હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હત્યાના આ બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે અને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ હાથ કરવામાં આવી છે






Latest News