મોરબીમાં શિવરાત્રિ નિમિતે સમસ્ત સતવારા સમાજ-જય મહાકાલ ગ્રુપ દ્વારા દર ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે જીએસટી અધિકારીઓ દ્વારા સેમિનાર યોજાયો માળીયા (મી) પાલિકાના ભાજપના માજી સભ્ય કમળને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા મોરબીના લીલાપર નજીક યુવાન ઉપર અજાણ્યા ત્રણ શખ્સ દ્વારા છરી વડે હુમલો: પેટ, છાતી, વાંસા અને નાક પાસે છરીના ઘા ઝીકયા મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનને માથા, મણકા અને નાક ઉપર ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો


SHARE













મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલ કારખાનામાં પતરા અને કેચી (એંગલ) ઉતારવા માટેનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખવામા આવ્યા ન હતા અને કામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકાયો હતો જેથી માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જો કે, તેને સારવારમાં લઈને આવ્યા હતા ત્યાર રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી કરીને બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના સાળા દ્વારા કારખાનાના બે માલિક સહિત કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત ચક્કીની બાજુમાં રહેતા વિજયભાઈ લાલજીભાઈ ઇન્દરિયા (45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ પટેલ, હિરેનભાઈ પટેલ, ગોપાલભાઈ, જીતેન્દ્રભાઈ રંગપરિયા અને અંબારામભાઈ રંગપરિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની સામે બંધ હાલતમાં જીતેન્દ્રભાઈ અને અંબારામભાઈનું લુકાસો સિરામિક નામનું કારખાનું આવેલું છે અને આ કારખાનામાં પતરા અને કેચી કાઢવા માટેનું કામ જયદીપભાઇ, હિરેનભાઈ અને ગોપાલભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું અને રાત્રિના અંધારામાં સેફ્ટીના કોઈ સાધનો રાખ્યા વગર કામ કરતા હતા ત્યારે ફરિયાદીના બનેવી વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા (35) રહે. ભવાનીનગર વિસ્તારમાં વીસીપરા મોરબી વાળા 25 ફૂટની દિવાલ ઉપરથી નીચે પડ્યા હતા જો કે, તેને તાત્કાલિક સારવાર માટે લઈને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી અને ફરિયાદીના બનેવીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે આરોપીઓએ રાખેલી બેદરકારી અને રાજ્ય સેવકને ખોટી માહિતી આપેલ હોવાથી મૃતકના સાળાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચેય શખ્સોની સામે સાઅપરાધ માનવવધનો ગંભીર પ્રકારનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News