મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં સિરામિક કારખાનેદાર સહિત 5 સામે અકસ્માતના બનાવમાં બેદરકારી-રાજ્ય સેવકને ખોટી માહિતી આપવાનો ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ બંધ પડેલ કારખાનામાં પતરા અને કેચી (એંગલ) ઉતારવા માટેનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખવામા આવ્યા ન હતા અને કામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકાયો હતો જેથી માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જો કે, તેને સારવારમાં લઈને આવ્યા હતા ત્યાર રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી જેથી કરીને બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના સાળા દ્વારા કારખાનાના બે માલિક સહિત કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગુજરાત ચક્કીની બાજુમાં રહેતા વિજયભાઈ લાલજીભાઈ ઇન્દરિયા (45) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપભાઇ પટેલ, હિરેનભાઈ પટેલ, ગોપાલભાઈ, જીતેન્દ્રભાઈ રંગપરિયા અને અંબારામભાઈ રંગપરિયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપની સામે બંધ હાલતમાં જીતેન્દ્રભાઈ અને અંબારામભાઈનું લુકાસો સિરામિક નામનું કારખાનું આવેલું છે અને આ કારખાનામાં પતરા અને કેચી કાઢવા માટેનું કામ જયદીપભાઇ, હિરેનભાઈ અને ગોપાલભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું અને રાત્રિના અંધારામાં સેફ્ટીના કોઈ સાધનો રાખ્યા વગર કામ કરતા હતા ત્યારે ફરિયાદીના બનેવી વિક્રમભાઈ પરસોતમભાઈ પાટડીયા (35) રહે. ભવાનીનગર વિસ્તારમાં વીસીપરા મોરબી વાળા 25 ફૂટની દિવાલ ઉપરથી નીચે પડ્યા હતા જો કે, તેને તાત્કાલિક સારવાર માટે લઈને હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં રાજ્ય સેવકને ખોટી માહિતી આપવામાં આવી હતી અને ફરિયાદીના બનેવીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે આરોપીઓએ રાખેલી બેદરકારી અને રાજ્ય સેવકને ખોટી માહિતી આપેલ હોવાથી મૃતકના સાળાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચેય શખ્સોની સામે સાઅપરાધ માનવવધનો ગંભીર પ્રકારનો ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News