મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?


SHARE









મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ઉભરાતી ગટરનો પ્રશ્ન કેમ ઉકેલતો નથી ?

મોરબીની ન્યુ આદર્શ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા હોય છે જેથી કરીને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો પણ સામે આવેલ છે ત્યારે લોકોની ચિંતામાં વધારો થયેલ છે ત્યારે સ્થાનિક લોકોના કહેવા મુજબ સરદારબાગ પાસે ન્યુ આદર્શ સોસાયટી આવેલ છે તેમાં ગટરના પાણી રસ્તા ઉપર બહાર આવી રહ્યા છે જેથી રોગચાળો ફેલાઈ તેવી શ્કાયતા છે અને આ વિસ્તારમાં રાજકીય પક્ષના આગેવાનો અને હોદ્દેદારો રહેતા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને સ્ટ્રીટ લાઈટો પીએન બંધ છે. ખાસ કરીને આ સોસાયટીમાંથી શનાળા અને રવાપર રોડને જોડતો રસ્તો નીકળે છે જેથી કરીને વધુ ટ્રાફિક પણ રહે છે ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે.






Latest News