મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા


SHARE













હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારનામાં રહેતો સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા (33) નામનો યુવાન રવિવાર રાત્રીના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેને માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાના બનાવની તપાસ શરૂ કરી છે અને યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે, યુવાનની હત્યા કોને કરી અને કયા કારણોસર કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News