માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી પોલીસ દળની ઘોડી ‘પટ્ટી’નું બિમારીથી મોત


SHARE













મોરબી પોલીસ દળની ઘોડી ‘પટ્ટી’નું બિમારીથી મોત

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ પોલીસ હેડ કવાટરમાં પોલીસ વિભાગની સરકારી ઘોડી ‘પટ્ટી’નું મોત નિપજેલ છે.  મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઈવે રફાળેશ્ર્વર ગામની પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ માઉન્ટેન યુનીટ કે જેમાં પોલીસ વિભાગના અશ્વ અને ડોગ હોય છે. તે પૈકી પટ્ટી નામની ઘોડી બીમાર હતી. જેથી ડો.નિલેશ ભાડજાને સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે જોઈ તપાસીને તેઓએ ઘોડીને મૃત જાહેર કરી હતી. જેથી માઉન્ટેન યુનીટના જીતેન્દ્રસિંહ એમ. ઝાલાએ આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જેની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી. દેત્રોજાને સોંપવામાં આવેલ છે.

સાપ કરડી જતા સારવારમાં
 માળીયા (મીં)ના ભાવપર ગામે રેલ્વે ફાટક નજીક સાપ કરડી જતા વૃજકિશોર મુરેલાલ પ્રજાપતિ (ઉ.50) રહે. ભાવપરને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબી-માળીયા (મીં) હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા પંકજભાઈ રાધેશ્યામભાઈ વસુનીયા (ઉ.20) નામના યુવાનને ટીંબડીના બસ સ્ટેશન પાછળ સાપ કરડી જતા સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જેથી તાલુકાના ફિરોઝભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા
 મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ભરતભાઈ કાળુભાઈ પરમાર (ઉ.49)ને ગઈકાલે સાંજે સાતેક વાગ્યે ગામમાં ઝઘડો થયા બાદ ધોકા વડે મારામારી થઈ હતી. જેમાં મોઢાના ભાગે ઈજા થતા ભરતભાઈને સારવાર માટે અત્રેની સિવિલે લવાયા હતા તેમજ જેતપર રોડ ઉપર બેલા ગામની સે આવેલ સીરામીક યુનીટમાં કામ દરમ્યાન સિકયુરીટી મેન જયરામસિંગ કુમેરસિંગ રાજપૂત (ઉ.60)ને મારા મારીના બનાવમાં ઈજાઓ થતા સિવિલે ખસેડાયા હતા. જેથી તાલુકાના એ.એમ. ઝાપડીયા તપાસ કરી રહ્યા છે.

વાહન અકસ્માત
 મોરબી-નવલખી રોડ ઉપર ગોર ખીજડીયા ગામના પાટીયા સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઈજાઓ થવાથી નરેશભાઈ ખોડાભાઈ સોમાણી (ઉ.38) રહે. ભડીયાદ કાંટા પાસે સામાકાંઠે મોરબી-2ને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલે ખસેડાયો હોવાથી તાલુકાના ફીરોઝભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News