ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત


SHARE











ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં વૃદ્ધને તેની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહીને લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ તેની સાથે છેતરપિંડી અને ઠગાઈ કરીને તે સોનાની મઢેલી માળા પાછી ન આપીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલી યોગેશ્વરનગર પાસે ભંભોડીની વાડીમાં રહેતા વ્રજલાલ નવઘણભાઈ નકુમ (71)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/9/2024 ના બપોરના આશરે 11:00 વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલા દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં એક અજાણ્યા શખ્સ દ્વારા તેઓને વિશ્વાસમાં લઈને તેની રુદ્રાક્ષની માળા સોનેથી મઢેલ હતી તે માળાને સાફ કરી આપવાનું કહીને લાલચ આપી હતી અને ફરિયાદી વૃદ્ધને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડિ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા 80 હજાર રૂપિયાની કિંમતની સોનાની માળાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને લઈ જનાર અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News