મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત


SHARE









ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં વૃદ્ધને તેની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહીને લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ તેની સાથે છેતરપિંડી અને ઠગાઈ કરીને તે સોનાની મઢેલી માળા પાછી ન આપીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલી યોગેશ્વરનગર પાસે ભંભોડીની વાડીમાં રહેતા વ્રજલાલ નવઘણભાઈ નકુમ (71)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/9/2024 ના બપોરના આશરે 11:00 વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલા દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં એક અજાણ્યા શખ્સ દ્વારા તેઓને વિશ્વાસમાં લઈને તેની રુદ્રાક્ષની માળા સોનેથી મઢેલ હતી તે માળાને સાફ કરી આપવાનું કહીને લાલચ આપી હતી અને ફરિયાદી વૃદ્ધને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડિ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા 80 હજાર રૂપિયાની કિંમતની સોનાની માળાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને લઈ જનાર અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News