મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત


SHARE













ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં વૃદ્ધને તેની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહીને લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ તેની સાથે છેતરપિંડી અને ઠગાઈ કરીને તે સોનાની મઢેલી માળા પાછી ન આપીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલી યોગેશ્વરનગર પાસે ભંભોડીની વાડીમાં રહેતા વ્રજલાલ નવઘણભાઈ નકુમ (71)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/9/2024 ના બપોરના આશરે 11:00 વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલા દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં એક અજાણ્યા શખ્સ દ્વારા તેઓને વિશ્વાસમાં લઈને તેની રુદ્રાક્ષની માળા સોનેથી મઢેલ હતી તે માળાને સાફ કરી આપવાનું કહીને લાલચ આપી હતી અને ફરિયાદી વૃદ્ધને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડિ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા 80 હજાર રૂપિયાની કિંમતની સોનાની માળાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને લઈ જનાર અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News