વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી વાંકાનેરના નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને જેલ હવાલે કર્યા: ટંકારાના ગાંજાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વૃદ્ધ પાસેથી 18 હજારની રોકડની ચોરી કરવાના ગુનામાં રિક્ષા ચાલક સહિત બેની ધરપકડ: મહિલા સહિત બે આરોપીની શોધખોળ હળવદના ચરાડવા ગામે દીકરાની ગળાટૂંપો આપીને હત્યા કરનારા બાપની ધરપકડ મોરબીમાં જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત


SHARE

















ટંકારાના વીરપર પાસે સોનાની માળા સાફ કરી દેવાનું કહીને વૃદ્ધ સાથે 80 હજારની છેતરપિંડી-વિશ્વાસઘાત

ટંકારા તાલુકાના વીરપર ગામે આવેલ દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં વૃદ્ધને તેની સોનાથી મઢેલ રૂદ્રાક્ષની માળા સાફ કરવાનું કહીને લાલચ આપીને વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ તેની સાથે છેતરપિંડી અને ઠગાઈ કરીને તે સોનાની મઢેલી માળા પાછી ન આપીને વિશ્વાસઘાત કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે અજાણ્યા શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતિ મુજબ મોરબીમાં આલાપ રોડ ઉપર આવેલી યોગેશ્વરનગર પાસે ભંભોડીની વાડીમાં રહેતા વ્રજલાલ નવઘણભાઈ નકુમ (71)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 22/9/2024 ના બપોરના આશરે 11:00 વાગ્યાના અરસામાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલા દ્વારકાધીશ હોટલથી આગળના ભાગમાં એક અજાણ્યા શખ્સ દ્વારા તેઓને વિશ્વાસમાં લઈને તેની રુદ્રાક્ષની માળા સોનેથી મઢેલ હતી તે માળાને સાફ કરી આપવાનું કહીને લાલચ આપી હતી અને ફરિયાદી વૃદ્ધને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડિ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા 80 હજાર રૂપિયાની કિંમતની સોનાની માળાને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરીને લઈ જનાર અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News