ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા


SHARE











મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા

મોરબીમાં ફૂડ વિભાગને જયારે જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે જ લોકોના આરોગ્યની ચિંતા થતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવી જ રીતે કાલે દશેરાને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં મોરબી ફૂડ વિભાગ કચેરીની ટીમે ચેક કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ જુદાજુદા મીઠાઇ અને ફરસાણના 73 નમૂના લેવામાં આવેલ છે.

રાજયના દરેક જીલ્લામાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુદીજુદી કેટેગરીના નમુના લેવાની તેમજ અવરનેશ પોગ્રામોની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને ધ્યાને રાખીને વિવિધ કેટેગરીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં તેલના 10, મોળા સાટાના 4, ગળ્યા સાટાના 4, બેકરી પ્રોડક્ટના 14, દૂધના 10, મીઠાઇના 19, ડ્રાય ફૂટના 4, જલેબીના અને ફાફડા ગાંઠિયાના નૂમના લેવામાં આવેલ છે તેને લેબમાં મોકલાવવામાં આવશે.






Latest News