વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત ટંકારાના અમરાપર રોડે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા ટંકારાના ઓટાળા ગામે ગોદામમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા


SHARE











મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા

મોરબીમાં ફૂડ વિભાગને જયારે જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે જ લોકોના આરોગ્યની ચિંતા થતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે તેવી જ રીતે કાલે દશેરાને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણના ધંધાર્થીઓને ત્યાં મોરબી ફૂડ વિભાગ કચેરીની ટીમે ચેક કર્યું હતું અને એક કે બે નહીં પરંતુ જુદાજુદા મીઠાઇ અને ફરસાણના 73 નમૂના લેવામાં આવેલ છે.

રાજયના દરેક જીલ્લામાં ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જુદીજુદી કેટેગરીના નમુના લેવાની તેમજ અવરનેશ પોગ્રામોની કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને ધ્યાને રાખીને વિવિધ કેટેગરીના નમુના લેવામાં આવ્યા હતા જેમાં તેલના 10, મોળા સાટાના 4, ગળ્યા સાટાના 4, બેકરી પ્રોડક્ટના 14, દૂધના 10, મીઠાઇના 19, ડ્રાય ફૂટના 4, જલેબીના અને ફાફડા ગાંઠિયાના નૂમના લેવામાં આવેલ છે તેને લેબમાં મોકલાવવામાં આવશે.






Latest News