મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
SHARE
મોરબીના ઉમા સંસ્કારધામ ખાતે કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું કરાયું સન્માન
"રંગ કેસરીયો હોય કે સફેદ, પણ રક્ષણ તો ખાખી જ આપે." મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પાટીદાર કરિયર એકેડેમીમાંથી તાલીમ મેળવી પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉતીર્ણ થઈ, પોતાનું ખાખીનું સ્વપ્ન પૂર્ણ કરેલ 15 વિદ્યાર્થીઓનું સન્માન તાજેતરમાં મોરબી નજીક આવેલ ઉમા સંસ્કારધામ ખાતે કરવામાં આવ્યું હતું
વર્ષ 2026 માં પીએસઆઈ અને કોન્સટેબલની શારીરિક કસોટીમાં અત્યારસુધીમાં મોરબીમાં શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા સંચાલિત પાટીદાર કરિયર એકેડેમીમાંથી તાલીમ લીધેલા 47 વિદ્યાર્થીઓએ ઉતીર્ણ થયા છે તેમનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ સમારોહમાં મોરબી જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવનાર સ્કૂલ એટલે કે શ્રીમતી ડી જે. પટેલ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ નિતાબેન મેરજા તથા તમામ કર્મચારી વર્ગનું સન્માન શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેલ અધિકારી, ટ્રસ્ટીગણ, કર્મચારીવર્ગ તથા વિધ્યાર્થીઓ સહિત 250 થી વધુ લોકો હાજર રહ્યા હતા.