વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું
SHARE
વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતાવિરડા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રા. લિ. યુનિટ-3 માં સ્વ. જીવરાજભાઈ શીવાભાઈ વરમોરાની 15 મી પુણ્યતિથિ નિમિત્તે વરમોરા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્કાર ધામના પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ સહિતના હાજર રહ્યા હતા અને ત્યાં કુલ મળીને 441 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ એકત્રિત થયેલ રક્તની બોટલોને મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક, મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક તેમજ રાજકોટની સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં પ્રમોદભાઈ વરમોરા, મનીષભાઈ વરમોરા, અશોકભાઈ ભૂત અને ભાવેશભાઈ સરાસવડીયાએ જહેમત ઉઠાવી હતી. અને કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને ટી-શર્ટ અને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ તેઓની માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો તરફથી કરવામાં આવી હતી