વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત


SHARE













માળીયા (મી) હોસ્પિટલમાં એકસરે મશીન બંધ, દવા-સ્ટાફ નથી, પીએમ રૂમમાં લાઇટ પણ નથી: આપના આગેવાને સીએમને કરી રજૂઆત

માળીયા તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી અને પ્રમુખ દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ત્યાં એક્સરે મસીન બંધ, પીએમ રૂમમાં લાઇટ નથી, દવાઓ નથી સ્ટાફ નથી તેવી સમસ્યાઓ સામે આવી હતી જેથી કરીને આ બાબતે તાત્કાલિક સીએમ તેમજ આરોગ્ય મંત્રીને લેખીતમા આપ ના આગેવાન દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

મોરબી જીલ્લા આમ ઐ પાર્ટીના પ્રભારી પંકજ રાણસરીયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ માળીયા નગરપાલીકાની સમીક્ષા માટે માળીયા શહેરના હોદેદારો સાથે મિટિંગ કરેલ હતી અને આ મિટિંગના અંતે ત્યાંના લોકોની સુખાકારી માટેના પ્રશ્નો સાંભળેલ હતા અને અમુક રસ્તા તેમજ હોસ્પિટલને લગતા પ્રશ્નોની વિશે ચર્ચા કરવામાં આવી હતી અને હોસ્પીટલની મુલાકાત લીધેલ હતી ત્યારે જાણવા મળેલ કે, ત્યાં એમ્બ્યુલન્સની એક જ વ્યવસ્થા છે માટે આવડા મોટા વિસ્તારમા બીજી એમ્બ્યુલન્સ ફાળવવામા આવે તો લોકોને લાભ મળી શકે છે ત્યાર બાદ ત્યાં એક્સરે મસીન પણ બંધ હાલતમા છે, દવાનો પૂરતો સ્ટોક છે નહી, પીએમ રૂમમા લાઈટ કનેક્શન જ નથી, પીએમ સમયે ડોક્ટર સાથે કોઈ હેલ્પર નથી, જ્યારે પીએમ કરવાનું હોય ત્યારે મોરબીથી હેલ્પર બોલાવવા માટે ગાડી મોકલવી પડે છે, હોસ્પીટલની અંદર બાવળીયા ઉગી ગયા છે જેથી કરીને પંકજ રાણસરિયાએ જે તે અધિકારી તેમજ કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી હતી અને આ બાબતે સીએમ તેમજ આરોગ્ય મંત્રીને લેખીતમા રજૂઆત કરીને સુવિધા વધારવા માટેની માંગ કરી છે.




Latest News