ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ


SHARE







વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ

 

સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતને સીધા જોડતી જાહેર પરિવહન વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાઈ છે. રાજકોટ વિભાગ હેઠળના વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો વિધિવત પ્રારંભ કરાયો છે. આ નવી બસ સેવા માત્ર એક રૂટનો વધારો નથી પરંતુ હજારો મુસાફરો માટે વધુ સુરક્ષિત, સુલભ અને આરામદાયક મુસાફરીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે.

વિધિવત પૂજન સાથે આ બસને અપાઈ લીલીઝંડી. વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીફળ વધેરી, કંકુ-ચાંદલા કરીને અને ફૂલહારથી શણગાર કરીને બસને પ્રસ્થાન કરાવાયુ હતુ.રાજકોટ વિભાગીય નિયામક, ડીટીઓ, ડીએમઈ, કર્મચારી મંડળના પ્રતિનિધિઓ તેમજ ડેપો મેનેજર એ.એન.પઢારીયાની ઊપસ્થિતિમાં આ બસને રૂટ પર રવાના કરવામા આવી હતી. ડ્રાઈવર આશિષભાઈ વાજા અને કંડકટર અશોકભાઈ થુલેટીયાની હાજરીમાં મુસાફરોને મીઠાઈ વહેંચીને શુભેચ્છા પાઠવાઈ હતી. વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ વેપાર, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે અત્યંત મહત્વનો ગણાય છે.

મોરબીના સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો, દાહોદ અને આસપાસના આદિવાસી વિસ્તારોના મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ નાના વેપારીઓ માટે આ સીધી બસ સેવા સમય અને ખર્ચ બંનેમાં બચત કરાવશે.અત્યાર સુધી ઘણા મુસાફરોને રૂટ બદલવા અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો. નવી બસ સેવા શરૂ થતા મુસાફરી વધુ અનુકુળ બનશે અને જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ મજબૂત બનશે. મોરબી અને દાહોદ વચ્ચે અંદાજે 350 કિ.મી.નુ અંતર હોવાથી આ રૂટ લાંબા અંતરની મુસાફરી માટે મહત્વનો માનવામાં આવે છે






Latest News