ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ


SHARE











વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ

 

સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતને સીધા જોડતી જાહેર પરિવહન વ્યવસ્થામાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાઈ છે. રાજકોટ વિભાગ હેઠળના વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો વિધિવત પ્રારંભ કરાયો છે. આ નવી બસ સેવા માત્ર એક રૂટનો વધારો નથી પરંતુ હજારો મુસાફરો માટે વધુ સુરક્ષિત, સુલભ અને આરામદાયક મુસાફરીની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે.

વિધિવત પૂજન સાથે આ બસને અપાઈ લીલીઝંડી. વાંકાનેર એસ.ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીફળ વધેરી, કંકુ-ચાંદલા કરીને અને ફૂલહારથી શણગાર કરીને બસને પ્રસ્થાન કરાવાયુ હતુ.રાજકોટ વિભાગીય નિયામક, ડીટીઓ, ડીએમઈ, કર્મચારી મંડળના પ્રતિનિધિઓ તેમજ ડેપો મેનેજર એ.એન.પઢારીયાની ઊપસ્થિતિમાં આ બસને રૂટ પર રવાના કરવામા આવી હતી. ડ્રાઈવર આશિષભાઈ વાજા અને કંડકટર અશોકભાઈ થુલેટીયાની હાજરીમાં મુસાફરોને મીઠાઈ વહેંચીને શુભેચ્છા પાઠવાઈ હતી. વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ વેપાર, રોજગાર, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે અત્યંત મહત્વનો ગણાય છે.

મોરબીના સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો, દાહોદ અને આસપાસના આદિવાસી વિસ્તારોના મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ નાના વેપારીઓ માટે આ સીધી બસ સેવા સમય અને ખર્ચ બંનેમાં બચત કરાવશે.અત્યાર સુધી ઘણા મુસાફરોને રૂટ બદલવા અથવા ખાનગી વાહનોનો સહારો લેવો પડતો હતો. નવી બસ સેવા શરૂ થતા મુસાફરી વધુ અનુકુળ બનશે અને જાહેર પરિવહન પ્રત્યે લોકોનો વિશ્વાસ પણ મજબૂત બનશે. મોરબી અને દાહોદ વચ્ચે અંદાજે 350 કિ.મી.નુ અંતર હોવાથી આ રૂટ લાંબા અંતરની મુસાફરી માટે મહત્વનો માનવામાં આવે છે






Latest News