મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને


SHARE







ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને

મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકામાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થાય છે જેથી કરીને વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને તેનો ખેડૂતો દ્વારા આક્રોશ સાથે ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં આજે માળિયા સરપંચ એસો. અને માળીયા ખેડૂત સંગઠનની આગેવાની માળિયા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ખેડૂતોને પૂરતું વળતર અને પહેલા વળતર આપવામાં આવે પછી જ તેઓના ખેતરમાં કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકામાંથી ખાનગી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે અને વીજ લાઈનો પસાર કરવા માટે થઈને હાલમાં વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી ચાલુ છે તેમજ વીજ વાયર પાથરવા માટેનું કામ ચાલી રહ્યું છે જોકે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવતું નથી જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હાલમાં જે લાઈનો પસાર થઈ રહી છે તે ઉપરાંત ભવિષ્યમાં બીજી કંપનીઓની વીજ લાઈનો પસાર થાય તેવી શક્યતાઓ છે જેથી માળિયા મીયાણા તાલુકા સરપંચ એસો. અને માળીયા મીયાણા ખેડૂત સંગઠન દ્વારા આજે માળિયા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

રસંગપરના ખેડૂત અમિતભાઈ ઘુમાલિયાએ કહ્યું હતું કે, હાલમાં નીકળતી વીજ લાઈનો તથા ભવિષ્યમાં નીકળનારી વીજ લાઈનોનું કામ કરતા પહેલા ખાનગી વીજ કંપનીઓ દ્વારા તેઓને વીજપોલ અને વીજ વાયર માટે થઈને પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જયારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે માળીયા મીયાણા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો માળિયા મામલતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા અને જય જવાન જય કિસાનના નારાથી માળીયા મિયાણા તાલુકા મામલતદારની કચેરી ગુંજી ઉઠી હતી.

પંચવટીના ખેડૂત તરુણભાઈ પંચાસરાએ કહ્યું હતું કે, સરકાર અને કંપની જંત્રી દરના ચાર ગણા વળતર આપવાની વાત કરે છે પરંતુ ખેડૂતો દ્વારા જંત્રી દરના નહીં પરંતુ જમીનની વર્તમાન કિંમતના ચાર ગણા ભાવ મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ ખેડૂતોને જ્યાં સુધી તેમના ખેતરની અંદર વીજ પોલ ઊભા રહે ત્યાં સુધી માસિક ભાડું આપવામાં આવે અને 25 વર્ષ પછી જમીન તેઓને પરત આપવામાં આવે તેવી માંગ કરી છે.

આટલું જ નહીં પરંતુ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવ્યું નથી અથવા તો પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવ્યું નથી છતાં પોલીસને આગળ કરીને ખાનગી કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી કરવામાં આવે છે તેને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે જૂના ઘાંટીલાના ખેડૂત ઉમેશભાઈ જાકાસાણિયાએ સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, હાલમાં જેતપર ગામે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે ત્યાં 30,000 ખેડૂતો ભેગા થાય છે આવી જ રીતે ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે. જો ગુજરાત સરકાર ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલે તો આગામી સમયમાં દિલ્હી સુધી જવાની ખેડૂતોની તૈયારી છે. 






Latest News