મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા


SHARE







હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા

હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટી તેમજ સુસવાવ ગામની સીમમાં ઘરફોડ ચોરીની બે ઘટના બની હતી અને તેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધેયલ હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને તેવામાં પોલીસે બે આરોપીઓને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના અને ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવેલ ઢાળીયા કબ્જે લેવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અને હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં જુદીજુદી બે ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જેની ફરિયાદ પણ જે તે સમયે હળવદમાં નોંધાયેલ હતી જેથી આરોપીને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેવામાં ચોરીને અંજામ આપનાર શખ્સો હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું અને આરોપી સન્ની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડ નામના બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 36.925 ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ 85 ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્જે કરવામાં આવેલ છે અને આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News