મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા


SHARE













હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા

હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટી તેમજ સુસવાવ ગામની સીમમાં ઘરફોડ ચોરીની બે ઘટના બની હતી અને તેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધેયલ હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને તેવામાં પોલીસે બે આરોપીઓને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના અને ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવેલ ઢાળીયા કબ્જે લેવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અને હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં જુદીજુદી બે ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જેની ફરિયાદ પણ જે તે સમયે હળવદમાં નોંધાયેલ હતી જેથી આરોપીને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેવામાં ચોરીને અંજામ આપનાર શખ્સો હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું અને આરોપી સન્ની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડ નામના બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 36.925 ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ 85 ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્જે કરવામાં આવેલ છે અને આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News