મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તૂટી ગયા છે. જેથી કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તે જરૂર છે. જેથી કરીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે, જીલ્લામાં તૂટેલા રસ્તાના લીધે વાહન ચાલકો હેરાન છે તો પણ રોડને રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે પણ રીપેર કરવામાં આવી રહ્યા નથી જેથી નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે. કેમ કે, મોરબી સિરામિક હબ તરીકે જગ વિખ્યાત છે અને અહીથી સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ પણ આપવામાં આવે છે તેને ધ્યાને લઈને અહીના લોકોને સારા રોડ મળે તેના માટે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News