મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તૂટી ગયા છે. જેથી કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તે જરૂર છે. જેથી કરીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે, જીલ્લામાં તૂટેલા રસ્તાના લીધે વાહન ચાલકો હેરાન છે તો પણ રોડને રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે પણ રીપેર કરવામાં આવી રહ્યા નથી જેથી નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે. કેમ કે, મોરબી સિરામિક હબ તરીકે જગ વિખ્યાત છે અને અહીથી સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ પણ આપવામાં આવે છે તેને ધ્યાને લઈને અહીના લોકોને સારા રોડ મળે તેના માટે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.








Latest News