મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત


SHARE







મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ કંપનીમાંથી પ્રદૂષણ ફેલાઇ છે જેથી કરીને ખેતી પાકને નુકસાન થાય  છે અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે જેથી કરીને મોરબી ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે અને પ્રદૂષણ ફેલાવતી કંપની સામે પગલાં લેવાની માંગ કરી છે.

મોરબી ભારતીય કિસા સંઘના હોદેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા ઘણી કંપનીઓ દ્વારા ધુમાડા અને કેમિકલનો નિકાલ કરીને ખેતી, ખેડૂત અને ખેતરને નુકશાન કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતોએ આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે પણ તેની રજૂઆતને ધ્યાને લેવમાં આવતી નથી અને કંપનીઓના લગતા વળગતા સાથે અધિકારીઓ બંધ બારણે બેઠક કરી લેતા હોય છે તેવું ચર્ચાઇ રહ્યું છે વધુમાં તેઓએ કહ્યું હતું કે, ટંકારાના હડમતીયા, બંગાવડી સહિતના ગામના ખેડૂતોએ મામલતદાર, કલેક્ટર, ખેતીવાડી શાખા, જીપીસીબીમાં રજૂઆત કરેલ છે પરંતુ ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. જેથી કરીને ખેડૂતોને રજૂઆતને ધ્યાને લઈને ખેડૂત તેમજ ખેતીને નુકશાન કરતાં કંપનીઓ વાળાની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. 






Latest News