મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન મોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક મોરબી : દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૬ અન્વયે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર માટે અરજીઓ મંગાવવામાં આવી વડીલોના આશીર્વાદ જ સાચી મૂડી: મોરબીમાં સ્વ. નર્મદાબેન નિમાવત ટ્રસ્ટ દ્વારા રામાનંદી સમાજ માટે પ્રેરણાદાયી 'વડીલ વંદના' સમારંભ મોરબી: સ્વ.રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પ ક્રિટીકલ કેર ક્ષેત્રે સતત સફળતા અપાવતા આયુષ હોસ્પિટલના નામાંકિત ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વેન્ટિલેટર પરના 83 વર્ષ ના વૃદ્ધને નવજીવન અપાયું મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો


SHARE













હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આધેડને તેના બે ભત્રીજા દ્વારા મકાન ખાલી કરી નાખવા માટે ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયા (50) નામના આધેડે તેના બે ભત્રીજા અશ્વિનભાઈ રણછોડભાઈ પોરડીયા અને કાનજીભાઈ રણછોડભાઈ પોરડીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે બંને આરોપીઓએ તેને મકાન ખાલી કરી નાખવા માટે ધમકી આપી હતી અને ત્યાર બાદ કાનજી પોરીયાએ ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અશ્વિન પોરડીયાએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના બે ભત્રીજા ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ગુનો નોંધાયો

મોરબીના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર પાછળ નકલંક પાર્ક સોસાયટીમાં મકાન ભાડે આપ્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી કરીને આ અંગે મકાન માલિક જયેશભાઈ ધનજીભાઈ દારોદ્રા (34) રહે. નવા મકાનસર વાળા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.








Latest News