ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો


SHARE













હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો

હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આધેડને તેના બે ભત્રીજા દ્વારા મકાન ખાલી કરી નાખવા માટે ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયા (50) નામના આધેડે તેના બે ભત્રીજા અશ્વિનભાઈ રણછોડભાઈ પોરડીયા અને કાનજીભાઈ રણછોડભાઈ પોરડીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે બંને આરોપીઓએ તેને મકાન ખાલી કરી નાખવા માટે ધમકી આપી હતી અને ત્યાર બાદ કાનજી પોરીયાએ ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અશ્વિન પોરડીયાએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના બે ભત્રીજા ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ગુનો નોંધાયો

મોરબીના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર પાછળ નકલંક પાર્ક સોસાયટીમાં મકાન ભાડે આપ્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી કરીને આ અંગે મકાન માલિક જયેશભાઈ ધનજીભાઈ દારોદ્રા (34) રહે. નવા મકાનસર વાળા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.






Latest News