વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી
મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ
SHARE
મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ
મોરબીમાં દલવાડી સર્કલ પાસે વાડી વિસ્તારમાં રહેતી પરણીતાના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને તેના પતિ, દિયર અને સસરા દ્વારા ગાળો આપવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો જેથી મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પતિ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે જ્યારે સામાથી સસરાએ તેની પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામે ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ રોલા રાતડીયાની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનિષાબેન દિલીપભાઈ ડાભી (30) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સસરા દેવકરણભાઈ નારણભાઈ, પતિ દિલીપભાઈ દેવકણભાઈ અને દિયર જગદીશભાઈ દેવકણભાઈ રહે બધા રોલા રાતડીયાની વાડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદીના ચરિત્ર ઉપર શંકા વહેમ કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લોખંડના હથોડાના ઘા કરી પગના ભાગે ઈજા કરી હતી તથા માથાના વાળ ખેચીને ઇજાઓ કરી હતી જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.જ્યારે સામાપક્ષેથી દેવકણભાઈ નારણભાઈ ડાભી (60) એ મનીષાબેન દિલીપભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મનીષાબેન તેના દીકરાની વહુ છે અને બંને વચ્ચે છેલ્લા થોડા સમયથી અવારનવાર ઝઘડા થતા હોય ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રસોઈ બનાવવાની તપેલી વડે હાથમાં માર મારીને ઇજા કરી હતી જેથી વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે