મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી મોરબીમાં કારમાંથી 17 બીયરના ટીન સાથે એક પકડાયો: બિનવારસી રિક્ષામાંથી 20 બોટલ દારૂ કબ્જે, આરોપીની શોધખોળ વાંકાનેરમાં જૂની બોલાચાલીનો ખાર રાખીને યુવાનના હાથમાં બચકું ભરી લઈને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ હળવદના ચરાડવા ગામે ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ નજીક બોલેરો ગાડીના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એક યુવાનનું મોત મોરબીના રંગપર ગામે ઘરમાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ


SHARE













મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

મોરબીના જેલ રોડ અને બોરીચા વાસ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ શખ્સો દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું તેને તોડી પાડવા માટે આજે તંત્રો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને ત્રણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવેલ છે

સમગ્ર ગુજરાતની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શખ્સોએ સરકારી જમીન ઉપર કે ગૌચરની જમીન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે થઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી શહેરના બોરીચાવાસ વિસ્તારમાં રહેતા ભરત ઉર્ફે બીકે કાળુભાઈ બોરીચા તથા જીગર નામના બે શખ્સો કે જેની સામે મારામારી, પ્રોહિબિશન વિગેરેના ગુના નોંધાયેલા છે આ શખ્સો દ્વારા જુદી જુદી ચાર જગ્યા ઉપર ત્રણ પાકા મકાન અને એક જગ્યાએ પતરની આડસ કરીને ડેલા જેવું દબાણ કર્યું હતું આ ચારેય જગ્યા ઉપર આજે મોરબીના પ્રાંત અધિકારી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓની હાજરીમાં 3 જેસીબીને કામે રાખીને તમામ પ્રકારના દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કુલ મળીને 642 ચોરસ મીટર જગ્યા ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને આજે તોડી પાડવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરીને અંદાજે 65 લાખ રૂપિયાની કિંમતની જમીનને દબાણ મુક્ત કરવામાં આવેલ છે અને આગામી સમયમાં આવી જ રીતે મોરબી જિલ્લામાં કોઈપણ અસામાજિક તત્વ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યો હશે તો ટી દબાણ તોડીને કરવામાં આવશે તેવું ડીવાયએસપી જે.એમ.આલએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું




Latest News