મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ભુકંપનો આંચકો, કોઇ નુકશાની નહીઃ કલેકટર


SHARE











મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેથી કરીને આ મુદ્દે મોરબી જિલ્લાના કલેક્ટર સાથે વાત કરતા તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે હજુ સુધી કોઇ પણ જગ્યાએથી મોટી નુકસાનીના સમાચાર મળ્યા નથી

દિવાળીની મોડી સાંજે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલા જિલ્લા તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને તેનું એપિ સેન્ટર કચ્છ બાજુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાના પાંચ તાલુકા જેમાં મોરબી, ટંકારા વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકાની અંદર પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને ઘણા બધા લોકો ભૂકંપ આવ્યો ત્યારે પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી જિલ્લાના કલેક્ટર જે.બી.પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે મોરબી જિલ્લાના એક પણ તાલુકાની અંદર બહુ મોટી નુકશાની કોઈપણ પ્રકારની હોય તેવી માહિતી હજુ સુધી સામે આવી નથી અને બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામની આસપાસના વિસ્તારમાં ભૂકંપના વધુ આંચકા અનુભવ્યા હોય તેવું લોકો કરી રહ્યા છે






Latest News