મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન અને મહા આરતીનો ભક્તોએ લાભ લીધો


SHARE











આજે ઘણા ગામડા અને શહેરોમાં બેસતા વર્ષની ઉજવણી કરવામાં આવી નથી જો કે, મોરબી નજીકના બગથળા ગામે આજે બેસતા વર્ષની ઉજવણી કરાઇ છે અને નવા વર્ષનો પ્રારંભ મોટાભાગે લોકો દેવદર્શન કરીને તેમજ વડીલો સહિતનાઓના આશીર્વાદ મેળવીને કરતા હોય છે અને ત્યારે એક મેકને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવતા હોય છે મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ નકલંક ઘોડા વાળાના મંદિરે આજે આન્નકુંટ દર્શન અને મહા આરતી રાખવામા આવી હતી જો કે, મહા પ્રસાદનું આયોજનને કોરોનાના લીધે રદ્દ કરવામાં આવ્યું છે 

મોરબી નજીકના બગથળા ગામે દર વર્ષે  ગ્રામજનોના સહકારથી અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદનું મંદિરના મહંત દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે જો કે, કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે વર્ષો જૂની પરંપરામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આજે બગથળા ગામે બેસતા વર્ષની ઉજવણી સાથે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન, મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગથળા ગામ અને તેની આસપાસના ગામોના લોકો તેમજ અહીથી ધંધા રોજગાર માટે બહાર ગામ ગયેલા લોકો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે આજે બગથળા ગામે આવ્યા હતા આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર હોવાથી દર વર્ષે હજારોની સંખ્યામાં આસપાસના ગામોમાંથી લોકો નકલંક મંદિરે આવતા હોય છે જેથી ત્યાં સ્નેહમિલન જેવું વાતાવરણ પણ જોવા મળે છે જો કે, આ વર્ષે અન્નકૂટ દર્શન, મહા આરતીનો તમામ લોકોએ સરકારની ગાઈડ લાઇન મુજબ લાભ લીધે હતો અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા આ મંદિરના મહંતના કેહવા પ્રમાણે નકલંક મંદિરની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વે કરવામાં આવી છે ત્યારથી જ દર વર્ષે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ દર્શન અને મહા પ્રસાદ રાખવામા આવે છે જેનો આસપાસના ગામના હજારો લોકો લાભ લેતા હોય છે જો કે, આ વર્ષો જૂની પરંપરા હાલમાં કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષ  પણ પ્રસાદ રદ્દ કરવામાં આવેલ છે

 બીલીયા , બગથળા, બરવાળા, મોડપર, માણેકવાડા, નાની વાવડી, મોટી વાવડી, પંચાસર, શારદા નગર, જેપુર, ખેવારીયા, ગોર ખીજડીયા સહીત ૧૦૦ જેટલા ગામોમાંથી લોકો નકલંક દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે આટલું જ નહિ રાજકીય પક્ષના આગેવાનો તેમજ સામાજિક આગેવાનો પણ નકલંક દાદાના દર્શન કરવા માટે બેસતા વર્ષના દિવસે અચૂક આવે છે અને દાદાના આશીર્વાદથી તેમના દુખ દૂર થાય છે અને ખાસ કરીને નવા વર્ષમાં દરેક લોકો નકલંક દાદાના દર્શન કરીને તમામ લોકોને દાદા શરીર સુખ આપે તેવી પ્રર્થના કરતા હોય છે આની સાથોસાથ આજે મંદિરના મહંત સહિતના લોકોએ દેશ અને દુનિયા કોરોનાથી મુક્ત થાય તેના માટે પણ પ્રાર્થન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, નકલંક દાદાની કૃપાથી આ પંથકમાં લોકોની ખુબ જ પ્રગતિ થયેલી છે ત્યારે આગામી વર્ષમાં દાદાની તમામ ભગતો પર અને આસપાસના ગામો પર કૃપા બની રહે તેવી પ્રાથના કરી છે તેમજ રાષ્ટ્રની એકતા અને અખંડતા જળવાઈ રહે તે માટે શુભેચ્છા મંદિરના મહંત દામજી ભગતે પાઠવી હતી

ચાલુ વર્ષે કોરોના સહિતની ઘણી બધી હેરાન ગતિનો લોકોએ સામનો કર્યો છે જેથી કરીને ઘણા લોકોના બજેટ વેરવિખેર થઈ ગયા છે ત્યારે મંદી અને મોંઘવારી દૂર થયા  અને ધંધા, રોજગાર જે હાલમાં પડી ભંગિયા છે ત્યારે આજથી સારું થતા નવા વર્ષમાં એક મેકને શુભેચ્છા આપતા સહુ કોઈએ એવી આશા અને અપેક્ષ વ્યક્ત કરી હતી કે આગામી વર્ષમાં આવા દિવસો અને આવી હેરાન ગતિ પછી ના આવે તો સારું અને સારા ધંધા રોજગાર નીકળે તે માટે નકલંક દાદા પ્રાથના કરી હતી






Latest News