મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્રારા દીવાળીની કરાઇ ઉજવણી


SHARE











ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્રારા દીવાળીની કરાઇ ઉજવણી

મોરબીની અગ્રણી એવી પી.જી પટેલ કોલેજ પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની પ્રેરણાથી છેલ્લા ઘણા વર્ષોથી દીવાળીની ઉજવણી કરછ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદ પરના જવાનો સાથે મીઠાઈ અને નમકીન વિતરણ કરીને વિશિષ્ટ રીતે ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધે છે. આ વખતે પણ આ પરંપરા જાળવી રાખતા પી.જી.પટેલ કોલેજ દ્રારા દિવાળીના તહેવાર નિમિત્તે દિવાળીના દિવસે જ ભારત-પાકિસ્તાન કરછ સરહદે આપણા સૌની સુરક્ષા માટે દિવસ-રાત, વાર-તહેવાર જોયા વગર 24 કલાક તૈનાત રહેતા BSF અને Indian Army ના જવાનો વચ્ચે રૂબરૂ જઈ અંદાજે લગભગ 750 કિલો થી વધુ શુદ્ધ ધી ના અડદિયા અને નમકીનનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉજવણી નો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન પોતાના પરિવારથી દુર ફરજ બજાવતા BSF ના જવાનોને પારીવારીક હૂંફ અને લાગણીઓ નો અહેસાસ થાય અને સમગ્ર દેશ એમની સાથે છે તેવી અનુભુતિ કરાવવાનો હતો.આ ઉજવણીમાં પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, દેવર્ષ ભટ્ટ કોલેજ સ્ટાફ ના જયેશ પીઠડીયા, હિતેન્દ્રસિહ જાડેજા, દીપ મણિયાર, કૃપેશ ભટ્ટ, નૈમીશ ભટ્ટ, ઉધોગપતિ ચંદ્રેશભાઈ રાવલ, પીયૂષ પટેલ, મયુર કકકડ, હીરેન કકકડ, સરકારી શિક્ષક વાગીશ જાની તથા કોલેજના વિર્ધાથીઓ અભી વિડજા, વિશાલ વધાડીયા, હર્ષ મહેતા, ખોડીદાસ વિડજા મિતુલ દેત્રોજા જોડાયા હતા.ઉપરોક્ત પ્રોજેક્ટ ને સફળ બનાવવા પિયુષ પટેલ , દિનેશ વિડજા , દલસુખભાઈ વિડજા સહિતના ઘણા ઉદ્યોપતિઓએ જેહમત ઉઠાવી હતી






Latest News