મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન

મોરબીમાં દરબારગઢ ચોકમા તા.૩૧ ઓક્ટોબરને ગુરૂવારથી ચાર દિવસ સુધી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ૧૯ વર્ષથી જેવી રીતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંસ્થાના પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. અને માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. તા.૩૧ ને ગુરૂવારના રોજ ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયાના હસ્તે રાત્રે ૭:૧૫ થી ૮:૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન કરશે. ત્યાર બાદ બપોરે આરતીનો સમય રોજ ૧૨:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહાઆરતીનો સમય ૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે. અને ત્યાર બાદ ખીચડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને વિર્સજન યાત્રા તા.૩/૧૧ ને રવિવાર સાંજે ૫:૦૦ વાગ્યે દરબાર ગઢથી શરૂ થશે.





Latest News