રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા માળીયા મીયાણાના સુલતાનપુર ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડ ઉપર ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન

મોરબીમાં દરબારગઢ ચોકમા તા.૩૧ ઓક્ટોબરને ગુરૂવારથી ચાર દિવસ સુધી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ૧૯ વર્ષથી જેવી રીતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંસ્થાના પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. અને માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. તા.૩૧ ને ગુરૂવારના રોજ ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયાના હસ્તે રાત્રે ૭:૧૫ થી ૮:૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન કરશે. ત્યાર બાદ બપોરે આરતીનો સમય રોજ ૧૨:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહાઆરતીનો સમય ૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે. અને ત્યાર બાદ ખીચડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને વિર્સજન યાત્રા તા.૩/૧૧ ને રવિવાર સાંજે ૫:૦૦ વાગ્યે દરબાર ગઢથી શરૂ થશે.





Latest News