મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન


SHARE













મોરબીમાં સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા ચાર દિવસ કાલી પૂજા મહોત્સવનું આયોજન

મોરબીમાં દરબારગઢ ચોકમા તા.૩૧ ઓક્ટોબરને ગુરૂવારથી ચાર દિવસ સુધી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા કાલી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા ૧૯ વર્ષથી જેવી રીતે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સંસ્થાના પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. અને માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. તા.૩૧ ને ગુરૂવારના રોજ ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયાના હસ્તે રાત્રે ૭:૧૫ થી ૮:૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન કરશે. ત્યાર બાદ બપોરે આરતીનો સમય રોજ ૧૨:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી રહેશે. રાત્રે મહાઆરતીનો સમય ૯:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી રહેશે. અને ત્યાર બાદ ખીચડી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. અને વિર્સજન યાત્રા તા.૩/૧૧ ને રવિવાર સાંજે ૫:૦૦ વાગ્યે દરબાર ગઢથી શરૂ થશે.



Latest News