મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત હળવદ તાલુકમાં તસ્કરોના ધામા: ખેડૂતોની જુદીજુદી 3 વાડીઓમાંથી કોપર વાયરની ચોરી હળવદના કડિયાણા ગામે છોટાહાથીના ચાલકે હડફેટે લેતા ઘરેથી મંદિરે જતાં વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મોરબી સહિત 6 જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ મોરબીમાંથી મળી આવ્યો ! મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE





મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ) દ્વારા નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા ૨/૧૧ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ કલાકે કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા સેવા સદન પાછળ ચક્કર રોડ ઉપર આવેલ રેમન પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં સમાજના લોકોને પરિવાર સાથે આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયવંતસિંહ એચ. જાડેજા, જયશ્રીબા એમ. ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, રાજવીરસિંહ પી. સરવૈયા તેમજ ધર્મદીપસિંહ એમ. જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ)ના હોદેદારો અને કાર્યકર્તા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.




Latest News