મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો ! હળવદ તાલુકાનાં જુના માલણીયાદ ગામે પાંચ લોકોનું રેસક્યું: કેટલાક ગામોમાં વરસાદી પાણી ભરાયા મોરબીમાં ઝુંપડાઓમાં રહેતા પરિવારના બાળકો-મહિલાઓ માટે પોલીસે નાસ્તો-ભોજનની વ્યવસ્થા કરી વાંકાનેરના કોટડા નાયાણી ગામ પાસે કોઝવેમાં રીક્ષા સાથે પિતા પુત્ર તણાયા: પિતાનું મોત, પુત્રની શોધખોળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ: હળવદ-સરા રોડે કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ મોરબીના લાલપર અને ઘૂટું ગામે જુદાજુદા બે બનાવમાં બે આધેડના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્નેહ મિલનનું આયોજન


SHARE







મોરબીમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા સ્નેહ મિલનનું આયોજન

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ) દ્વારા નુતન વર્ષને આવકારવા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં વસતા રાજપૂત ક્ષત્રિય સમાજના પરિવાર માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન તા ૨/૧૧ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૧૫ કલાકે કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા સેવા સદન પાછળ ચક્કર રોડ ઉપર આવેલ રેમન પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં સમાજના લોકોને પરિવાર સાથે આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયવંતસિંહ એચ. જાડેજા, જયશ્રીબા એમ. ઝાલા, ઓમદેવસિંહ જાડેજા, રાજવીરસિંહ પી. સરવૈયા તેમજ ધર્મદીપસિંહ એમ. જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ (યુવા પાંખ)ના હોદેદારો અને કાર્યકર્તા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News