મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ

મોરબીના લીલાપર ગામ પાસે ઝુપડામાં રહેતા યુવાને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી જેથી તે યુવાનને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકીને પુરાવા નાશ કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસ મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલ તીર્થક પેપર મીલની બાજુમાં ઝુપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (20) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યા ની ફરિયાદ નોંધાવે છે.જેમાં તેણે જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવી (41) એ આરોપી મેરીબાઈ પાસે બિભત્સ માંગણી કરી હતી.જેથી કરીને ત્રણેય આરોપીઓએ કાવતરું કર્યું હતું અને ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવીને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ગળેટુંપો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના બાઈકને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું તેમજ તેના મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર આવેલ નદીમાં નાખીને પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (32) રહે.લિયારા તાલુકો પડધરી મૂળ રહે.એમપી અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (36) રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર તા.મોરબી મૂળ રહે.એમપી ની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.




Latest News