મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત હળવદના સુંદરગઢ નજીક આવેલ પુલ પાસે રોંગ સાઈડમાં આવેલ ટ્રક આઇસર સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ

મોરબીના લીલાપર ગામ પાસે ઝુપડામાં રહેતા યુવાને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી જેથી તે યુવાનને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકીને પુરાવા નાશ કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસ મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલ તીર્થક પેપર મીલની બાજુમાં ઝુપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (20) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યા ની ફરિયાદ નોંધાવે છે.જેમાં તેણે જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવી (41) એ આરોપી મેરીબાઈ પાસે બિભત્સ માંગણી કરી હતી.જેથી કરીને ત્રણેય આરોપીઓએ કાવતરું કર્યું હતું અને ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવીને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ગળેટુંપો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના બાઈકને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું તેમજ તેના મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર આવેલ નદીમાં નાખીને પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (32) રહે.લિયારા તાલુકો પડધરી મૂળ રહે.એમપી અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (36) રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર તા.મોરબી મૂળ રહે.એમપી ની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News