મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં પત્ની પાસે બિભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા, લાશ-મોબાઇલ ધોળકા પાસે નદીમાં ફેંકી દીધા: બે આરોપીની ધરપકડ

મોરબીના લીલાપર ગામ પાસે ઝુપડામાં રહેતા યુવાને મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી જેથી તે યુવાનને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે પાસે ફોન કરીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગળા ટુપો આપીને તેની હત્યા કરી નાખી હતી અને તેનું મોટરસાયકલ કુવામાં ફેંકી દીધું હતું તેમજ તેનો મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર નદીમાં ફેંકીને પુરાવા નાશ કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસ મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લીલાપર નજીક આવેલ તીર્થક પેપર મીલની બાજુમાં ઝુપડામાં રહેતા નાનકાભાઈ કેકડિયાભાઈ માવી (20) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મન્નાભાઈ લબરીયાભાઈ વસુનિયા અને સુરેશભાઈના પત્ની મેરીબાઇ સામે હત્યા ની ફરિયાદ નોંધાવે છે.જેમાં તેણે જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવી (41) એ આરોપી મેરીબાઈ પાસે બિભત્સ માંગણી કરી હતી.જેથી કરીને ત્રણેય આરોપીઓએ કાવતરું કર્યું હતું અને ફરિયાદીના પિતા કેકડિયાભાઈ માવીને ફોન કરીને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં બોલાવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેમને ગળેટુંપો આપીને તેમની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતકના બાઈકને કૂવામાં ફેંકી દેવામાં આવ્યું હતું તેમજ તેના મોબાઇલ ફોન અને લાશને ધોળકા રોડ ઉપર આવેલ નદીમાં નાખીને પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો હતો. હાલમાં હત્યાના આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા (32) રહે.લિયારા તાલુકો પડધરી મૂળ રહે.એમપી અને મનાભાઈ લબલિયાભાઈ વસુનિયા (36) રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર તા.મોરબી મૂળ રહે.એમપી ની ધરપકડ કરેલ છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News