મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું


SHARE





મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું

મોરબીમાં આલાપ રોડ પાસે અને નહેરૂગેટ ચોકમાં શનિવારે પાલિકા દ્વારા ખાતમુહૂર્તના જુદાજુદા બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કુલ મળીને 16 રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ, મેઘરાજસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સીરોહિયા, આશીફ્ભઈ ઘાંચી, અલ્પાબેન કક્ક્ડ, સીમાબેન સોલંકી, પ્રફુલભાઇ આડેસરા સહિતના પાલિકામાં માજી સભ્યો તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતનો સ્ટાફ અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા હાલમાં જે રોડના કામનું ખાતમુહૂર્ત થયેલ છે તેમાં કલેકટર બંગલાથી સ્ટેશન રોડ, દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ, જેલ ચોકથી મચ્છુમાં મંદિર, શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ, જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ, નટરાજ ફાટકથી પરશુરામ પોટરી, નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ, ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી, કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર, રવાપર રોડ વાઘપરાના નાલાથી જેલ રોડ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત બીજા 6 રોડનો સમાવેશ થાય છે. આ રોડ સારી ગુણવતાના બને તેના માટે ધારાસભ્યએ કોન્ટ્રાકટરને લોકોની હાજરીમાં જ ટકોર કરી હતી અને જો નબળી કામગીરી હોય તો લોકોને કામ રોકવા અને તેઓને જાણ કરવા માટે આહ્વાન કર્યું હતું




Latest News