કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા મોરબીમાં રવિવારે કરિયાણા મર્ચન્ટ એસો.ની મીટીંગ: નવા પ્રમુખ સહિતના હોદેદારોની કરશે વરણી અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું ડીઝલ ચોરી થાય તે પહેલા પોલીસ ત્રાટકી: માળીયા (મી)ના ફતેપર પાસેથી 36.10 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાનામાં કામ દરમ્યાન લીફ્ટમાં ફસાઈ જવાથી ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના જુદાજુદા બે ગુનામાં બે સગાભાઈની ધરપકડ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું


SHARE











મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું

મોરબીમાં આલાપ રોડ પાસે અને નહેરૂગેટ ચોકમાં શનિવારે પાલિકા દ્વારા ખાતમુહૂર્તના જુદાજુદા બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કુલ મળીને 16 રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ, મેઘરાજસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સીરોહિયા, આશીફ્ભઈ ઘાંચી, અલ્પાબેન કક્ક્ડ, સીમાબેન સોલંકી, પ્રફુલભાઇ આડેસરા સહિતના પાલિકામાં માજી સભ્યો તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતનો સ્ટાફ અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા હાલમાં જે રોડના કામનું ખાતમુહૂર્ત થયેલ છે તેમાં કલેકટર બંગલાથી સ્ટેશન રોડ, દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ, જેલ ચોકથી મચ્છુમાં મંદિર, શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ, જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ, નટરાજ ફાટકથી પરશુરામ પોટરી, નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ, ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી, કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર, રવાપર રોડ વાઘપરાના નાલાથી જેલ રોડ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત બીજા 6 રોડનો સમાવેશ થાય છે. આ રોડ સારી ગુણવતાના બને તેના માટે ધારાસભ્યએ કોન્ટ્રાકટરને લોકોની હાજરીમાં જ ટકોર કરી હતી અને જો નબળી કામગીરી હોય તો લોકોને કામ રોકવા અને તેઓને જાણ કરવા માટે આહ્વાન કર્યું હતું






Latest News