હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને વેકેશનમાં ખાનગી શાળા શરૂ કરનાર સંચાલકો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને વેકેશનમાં ખાનગી શાળા શરૂ કરનાર સંચાલકો સામે પગલાં લેવા કોંગ્રેસની માંગ

રાજ્ય સરકાર દ્વારા દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે તેમ છતાં પણ મોરબીની કેટલીક ખાનગી શાળાઓની અંદર શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેથી કરીને શાળાઓની બસ વિદ્યાર્થીઓને લાવતી અને લઈ જતી હોય તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જે બાબતને ધ્યાન રાખીને મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરીને મોરબીમાં સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શાળાઓમાં વેકેશન દરમિયાન શરૂ કરનાર શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા તારીખ 28-10-2024 થી લઈને 17-11-2024 સુધી કુલ મળીને 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. જોકે મોરબીના મુખ્ય માર્ગ સનાળા રોડ, ઉમિયા સર્કલ, રવાપર રોડ વગેરે વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા તથા મુકવા માટે થઈને દોડતી ખાનગી શાળાઓની બસો છેલ્લા દિવસોથી મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર વિદ્યાર્થીઓને લઈ જતી હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. ત્યાર બાદ બાબતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો મૂકીને મોરબી શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા મોરબીમાં વેકેશન દરમિયાન રાજ્ય સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર ખાનગી શાળાના સંચાલકો સામે પગલાં લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.






Latest News