માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું છે અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવ બાદ રોષે ભરાયેલ લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં હળવદ પોલીસે ઇજા પામેલ યુવાનની ફરિયાદ લઈને ખાનગી બસના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં સુખપર ગામે રહેતા રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલા (20)એ હાલમાં ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે સુખપર ગામની નદીના પુલ નજીક રોડ ઉપર ફરિયાદીના બાઇક ઉપર તે તથા નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (17) અને અનિલ વિહાભાઈ લોદરિયા (18) જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેના બાઇકને ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેય યુવાનોને ઇજા થયેલ હતી જેમાં ફરીયાદીને કપાળે ચાર ટાંકા આવ્યા હતા અને હાથે તેમજ પગે મુંઢ ઇજા થયેલ હતી તો સાહેદ અનિલ (18) ને સાથળ, ગુપ્ત ભાગે અને કમરે ગંભીર ઇજા થઈ હતી અને નિલેશભાઇ દાજીભાઇ રાઠોડ (17)ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક તેની બસ મુકી ભાગી ગયો હતો જેથી કરીને રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News