ટંકારાના લજાઈ ગામે ભાગમાં લીધેલ સમાનમાંથી બે પાટિયા માંગતા યુવાનને માર પડ્યો દંપતી ખંડિત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે કાર ચાલકે ફ્રૂટની લારીને ઉડાવતા પતિનું મોત, પત્ની સારવારમાં મોરબીના યુવાને ઓનલાઈન 100 કુર્તિ મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી ! વાંકાનેરના બી.આર.સી. ભવન ખાતે પૂર્વ ટી.પી.ઈ.ઓ. અને પૂર્વ બી.આર.સી.કૉ.ઓ.નો વિદાય સમારોહ યોજાયો મોરબી: શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE















હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું છે અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવ બાદ રોષે ભરાયેલ લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં હળવદ પોલીસે ઇજા પામેલ યુવાનની ફરિયાદ લઈને ખાનગી બસના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં સુખપર ગામે રહેતા રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલા (20)એ હાલમાં ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે સુખપર ગામની નદીના પુલ નજીક રોડ ઉપર ફરિયાદીના બાઇક ઉપર તે તથા નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (17) અને અનિલ વિહાભાઈ લોદરિયા (18) જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેના બાઇકને ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેય યુવાનોને ઇજા થયેલ હતી જેમાં ફરીયાદીને કપાળે ચાર ટાંકા આવ્યા હતા અને હાથે તેમજ પગે મુંઢ ઇજા થયેલ હતી તો સાહેદ અનિલ (18) ને સાથળ, ગુપ્ત ભાગે અને કમરે ગંભીર ઇજા થઈ હતી અને નિલેશભાઇ દાજીભાઇ રાઠોડ (17)ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક તેની બસ મુકી ભાગી ગયો હતો જેથી કરીને રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.




Latest News