મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર


SHARE





ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

ટંકારામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને જામીન મુક્ત કરવા હાઈકોર્ટે હુકમ કરેલ છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતિ કે આ કામના આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી એકાલામાં બોલાવી ફરીયાદી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું અને આ અંગેની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ આ કામના અન્ય આરોપીઓએ બનાવ જાણવા હોવા છતાં આરોપીને સમર્થન આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગુન્હા કર્યો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયા તથા રવી ચાવડા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. અને આરોપી તરફે ધારદાર દલીલ કરેલ હતી જેથી હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા,સાવન ડી.મોધરીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.




Latest News