વાંકાનેરમાં અંધ-અપંગ ગૌ આશ્રમના ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગતા 20 લાખનું નુકશાન મોરબીમાં નંદીઘરમા તાત્કાલિક ઘાસચારો-પાણીની વ્યવસ્થા કરવા કોંગ્રેસનાં આગેવાનની માંગ કાચું કપાયું કે શું ?: મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિની ઝારખંડમાં માનવ તસ્કરી સહિતના ગુનામાં ધરપકડ હળવદના સાપકડા ગામનો બનાવ: દીકરાએ પિતાને કામ ધંધો કરવાનું કહેતા દંપતી વચ્ચે થયેલ ઝઘડા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત અપમૃત્યુના બે બનાવ: મોરબીમાં બેભાન થયા બાદ વૃદ્ધા અને સિંધાવદરમાં બેભાન થયા પછી યુવાનનું મોત ટંકારાના અમરાપર રોડે રિક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે જુગાર રમતા 5 શખ્સ પકડાયા ટંકારાના ઓટાળા ગામે ગોદામમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર


SHARE











ટંકારાના દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપીના હાઇકોર્ટમાંથી શરતી જામીન મંજૂર

ટંકારામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીએ જામીન માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને જામીન મુક્ત કરવા હાઈકોર્ટે હુકમ કરેલ છે.

ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતિ કે આ કામના આરોપીએ ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી એકાલામાં બોલાવી ફરીયાદી સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધી દુષ્કર્મ કર્યું હતું અને આ અંગેની કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ આ કામના અન્ય આરોપીઓએ બનાવ જાણવા હોવા છતાં આરોપીને સમર્થન આપી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી ગુન્હા કર્યો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં મોરબીના યુવા એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયા તથા રવી ચાવડા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. અને આરોપી તરફે ધારદાર દલીલ કરેલ હતી જેથી હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી યુવા એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા,સાવન ડી.મોધરીયા, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News