મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ

સરકારે જંત્રીના ભાવ વધારા મુદ્દે જે નિર્ણય કરેલ છે તેનાથી ગરીબ અને મધ્યમવર્ગને મોટું નુકશાન થાય તેમ છે જેથી કરીને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે આ બાબતે સીએમને રજૂઆત કરેલ છે અને જમીની તપાસ કરવાની માંગ કરેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના શરૂ કરી છે. મધ્યમ અને ગરીબ માણસની આવક માસિક રૂપિયા 30 હજાર હોય છે. તેમ છતાં લોન લઈ પાંચથી પચ્ચીસ લાખનું મકાન સરળ બેંકના હપ્તાથી ખરીદી ઘરનો આશરો થાય છે પરંતુ જંત્રીના ભાવ વધારતા ગરીબ અને મધ્યમવર્ગના માણસોના ઘરનું ઘર લેવાના સ્વપ્ન હતા તે પૂરા થઈ ગયા છે. કેમ કે, પાંચથી દસ લાખમાં આવતું મકાન જંત્રી ભાવે પચ્ચીસ લાખ લગભગ થશે અને પચ્ચીસ લાખનું મકાન ૭૫ લાખનું થાય તેવી શક્યતા છે. જેથી સરકારે જંત્રીના ભાવ હાલ જે નિર્ણય લીધો છે. તે યોગ્ય નથી. અને જો આવાને આવા જંત્રી ભાવ રહેશે તો જનતાને મોટું નુકશાન થશે. માટે જંત્રી ભાવ સ્થગિત કરી જમીની તપાસ કરવા માંગ કરેલ છે.






Latest News