મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ

સરકારે જંત્રીના ભાવ વધારા મુદ્દે જે નિર્ણય કરેલ છે તેનાથી ગરીબ અને મધ્યમવર્ગને મોટું નુકશાન થાય તેમ છે જેથી કરીને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે આ બાબતે સીએમને રજૂઆત કરેલ છે અને જમીની તપાસ કરવાની માંગ કરેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના શરૂ કરી છે. મધ્યમ અને ગરીબ માણસની આવક માસિક રૂપિયા 30 હજાર હોય છે. તેમ છતાં લોન લઈ પાંચથી પચ્ચીસ લાખનું મકાન સરળ બેંકના હપ્તાથી ખરીદી ઘરનો આશરો થાય છે પરંતુ જંત્રીના ભાવ વધારતા ગરીબ અને મધ્યમવર્ગના માણસોના ઘરનું ઘર લેવાના સ્વપ્ન હતા તે પૂરા થઈ ગયા છે. કેમ કે, પાંચથી દસ લાખમાં આવતું મકાન જંત્રી ભાવે પચ્ચીસ લાખ લગભગ થશે અને પચ્ચીસ લાખનું મકાન ૭૫ લાખનું થાય તેવી શક્યતા છે. જેથી સરકારે જંત્રીના ભાવ હાલ જે નિર્ણય લીધો છે. તે યોગ્ય નથી. અને જો આવાને આવા જંત્રી ભાવ રહેશે તો જનતાને મોટું નુકશાન થશે. માટે જંત્રી ભાવ સ્થગિત કરી જમીની તપાસ કરવા માંગ કરેલ છે.








Latest News