માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ


SHARE

















મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જંત્રીના ભાવ વધારા મુદ્દે સીએમને રજૂઆત કરાઇ

સરકારે જંત્રીના ભાવ વધારા મુદ્દે જે નિર્ણય કરેલ છે તેનાથી ગરીબ અને મધ્યમવર્ગને મોટું નુકશાન થાય તેમ છે જેથી કરીને મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે આ બાબતે સીએમને રજૂઆત કરેલ છે અને જમીની તપાસ કરવાની માંગ કરેલ છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજના શરૂ કરી છે. મધ્યમ અને ગરીબ માણસની આવક માસિક રૂપિયા 30 હજાર હોય છે. તેમ છતાં લોન લઈ પાંચથી પચ્ચીસ લાખનું મકાન સરળ બેંકના હપ્તાથી ખરીદી ઘરનો આશરો થાય છે પરંતુ જંત્રીના ભાવ વધારતા ગરીબ અને મધ્યમવર્ગના માણસોના ઘરનું ઘર લેવાના સ્વપ્ન હતા તે પૂરા થઈ ગયા છે. કેમ કે, પાંચથી દસ લાખમાં આવતું મકાન જંત્રી ભાવે પચ્ચીસ લાખ લગભગ થશે અને પચ્ચીસ લાખનું મકાન ૭૫ લાખનું થાય તેવી શક્યતા છે. જેથી સરકારે જંત્રીના ભાવ હાલ જે નિર્ણય લીધો છે. તે યોગ્ય નથી. અને જો આવાને આવા જંત્રી ભાવ રહેશે તો જનતાને મોટું નુકશાન થશે. માટે જંત્રી ભાવ સ્થગિત કરી જમીની તપાસ કરવા માંગ કરેલ છે.




Latest News