મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનમાં કર્યો આપઘાત: અનેક તર્કવિતર્ક


SHARE











મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનમાં કર્યો આપઘાત: અનેક તર્કવિતર્ક

મોરબીના ચાંચાપર ગામે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એકી સાથે બંધ મકાનની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે જેથી કરીને હાલમાં નાના એવા ગામમાં ચકચાર મચી ગયેલ છે અને આ બંને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ હોવાના કારણે સગીરા અને તેના કૌટુંબિક દાદાએ આપઘાત કર્યો હોય તેવી માહિતી સામે આવી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ચાંચાપર ગામે રહેતા અરજણભાઈ મંગાભાઈ ચૌહાણએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે ચાંચાપર ગામે તેઓના કૌટુંબિક મૃતક લક્ષ્મણભાઈ મોતીભાઈ ચૌહાણના બંધ મકાનની અંદર પાયલબેન તુલસીભાઈ ચૌહાણ (ઉંમર ૧૫) અને અમુભાઈ ભોજાભાઇ ચૌહાણ (૪૨) રહે. બંને ચાચાપર વાળાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસે બંન્ને મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં ગ્રામજનો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સગીરા અને યુવાન બંને ગઈકાલથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારજનો દ્વારા તેને શોધવા માટેની કવાયત કરવામાં આવતી હતી પરંતુ કોઇ જગ્યાએથી તેઓનો પત્તો લાગ્યો ન હતો અને ત્યારબાદ લક્ષ્મણભાઈ ચૌહાણના બંધ મકાનમાંથી બંનેની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી

વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક અમુભાઈ ચૌહાણ અને પાયલ ચૌહાણના દાદા બંને કૌટુંબિક ભાઈ થાય છે એટ્લે કે કૌટુંબિક દાદા અને ભત્રીજીએ એક સાથે આપઘાત કર્યો છે જેથી કરીને પ્રેમ સંબંધ હોવાથી સગીરા અને તેના કૌટુંબિક દાદાએ આપઘાત કરે છે હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુભાઈ ચૌહાણ હાલમાં અમદાવાદમા રહે છે જો કે, કાળી ચૌદશના દિવસે નૈવેદ હોવાથી તેઓ ચાંચાપર ગામે આવ્યા હતા અને તેને તેની કૌટુંબિક ભત્રીજી  સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી નાના એવ ગામમાં ચકચાર મચી ગયેલ છે






Latest News