મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક મુદે યુવાનને માર મારનાર ત્રણ પૈકીનાં બે શખ્સોની ધરપકડ


SHARE











મોરબીના વેજીટેબલ રોડે ઓવરટેક મુદે યુવાનને માર મારનાર ત્રણ પૈકીનાં બે શખ્સોની ધરપકડ

મોરબીના વેજીટેબલ રોડ ઉપરથી પસાર થતાં યુવાનની સાથે ઓવરટેક કરવા બાબતે ત્રણ શખ્સોએ બોલાચાલી કરી હતી ત્યારબાદ તેને ગાળો આપીને ઢીકાપાટુ અને લાકડીના ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને ત્રણ શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને બે આરોપીને ધરપકડ કરેલ છે અને બાકી રહેલા આરોપીને પકડવા માટે કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટીની અંદર રહેતા મનીષરંજન કુમાર રમેશપ્રસાદ શાહી (ઉમર ૩૭)એ મોરબીમાં વેજીટેબલ રોડે રહેતા જયદીપ દરબાર, કુલદીપ દરબાર અને રામક્રુષ્ણનગરમાં રહેતા લાલભાઈ દરબારની સામે તેને માર માર્યો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેની સાથે ઓવરટેક કરવા બાબતનો ખાર રાખીને જયદીપ, કુલદીપ અને લાલભાઇએ માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને બેફામ ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જયદીપ તેમજ કુલદીપે તેને પકડી રાખ્યા બાદ લાલભાઈ દરબારએ તેને ઢીકાપાટુ અને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને તેને હાથમાં અને પગમાં ફેક્ચર જેવી ઈજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને હાલમાં મનીષરંજનકુમારની ફરિયાદ લઈને બી ડિવિઝન પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જયદીપસિંહ દિનુભા રાઠોડ (ઉમર ૨૧) રહે.વેજીટેબલ રોડ મોરબી-૨ અને કુલદીપસિંહ શાંતુભા રાઠોડ રહે.વેજીટેબલ રોડ મોરબી-૨ વાળાઓની ધરપકડ કરેલ છે.






Latest News