માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો


SHARE

















ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો

ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતી પરિણીતાને તેના સસરા અને જેઠ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર નેકનામ પીએચસીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા જીગ્નેશભાઈ સીતાપરાના પત્ની અપેક્ષાબેન (ઉમર ૨૫)ને તેના સસરા પ્રભુદાસભાઈ અને જેઠ નંદભાઈએ લોખંડના પાઇપ વડે શરીરે અને માથામાં માર માર્યો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ પડધરી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પરણિતા સાસુ-સસરાની સાથે રહે છે અને તેને સંતાન નથી જો કે, કયા કારણોસર પરિણીતાને તેના સસરા અને જેઠ દ્વારા માર મરવામાં આવેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News