મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

રાજ્યાના ૨૫ આઇપીએસ અધિકારીઓની બદલી, બીજા રાઉન્ડમાં મોરબી સહિત સૌરાષ્ટ્રના અધિકારીઓની બદલી નિશ્ચિત હોવાની ચર્ચા


SHARE













રાજ્યામાં ૨૫ જેટલા આઇપીએસ આધિકારીઓની બદલી કરાઇ  છે જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરમાં સેક્ટર 2 ની ખાલી પડેલી જગ્યા જે છેલ્લા આઠ મહિનાથી ચાર્જમાં ચાલતી હતી તે ભરાઈ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના ઝોન 1 અને ઝોન 2 ડીસીપીની બદલી કરવામાં આવી છે.

સિનિયર IPS અધિકારી શમશેરસિંઘની કોઈ સારી જગ્યાએ બદલી થશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ તેમને એન્ટી કરપ્શન બ્યૂરોમાં તે જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે તેમનો કાયદા અને વ્યવસ્થા વિભાગનો હવાલો રાજકુમાર પાંડિયનને આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાંથી ઝોન 1 ડીસીપી હિમાંશું વર્મા અને ઝોન 2 શ્રીપાલ શેસમાની બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરના કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસની પણ બદલી કરવામાં આવી હોવાનું આ ઓર્ડર પરથી જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં સ્પેશિયલ બ્રાન્ચના એડિશનલ ડીજીપી અજય ચૌધરીની વુમન સેલમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તેમનો ચાર્જ વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો છે. આ બધાની સાથે અમરેલી જિલ્લાના ડીએસપી હિમકરસિંહની બદલી રાજકોટ રૂરલ ડીએસપી તરીકે કરવામાં આવી છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બદલીમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં રહેલા IPS અધિકારી સુધીર દેસાઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ૨૫ IPS અધિકારીની બદલી કરવામાં આવી છે, જ્યારે આગામી નજીકના દિવસોમાં વધુ એક બદલીનો લીથો જાહેર કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા IPS અધિકારીઓની બદલી કરવામાં આવે તેવી શક્યતા છે. અને આગામી રાઉન્ડમાં રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, મોરબી અને પોરબંદર જિલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવતા અધિકારીઓની બદલી નિશ્ચિત માનવામાં આવી રહી છે.






Latest News